પોતાની ફિલ્મોની સાથે જ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહેતાં ડિરેક્ટર રામગોપાલ વર્મા એકવાર ફરી ચર્ચામાં છે. હકીકતમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને 5 એપ્રિલે રાતે 9 વાગ્યે 9 મિનિટ માટે ઘરની લાઈટ્સ બંધ કરીને દીવો પ્રગટાવાની અપીલ કરી હતી. તેમના આ મિશનમાં ભારતની સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ, ટીવી અને અન્ય દિગ્ગજ હસ્તીઓએ પણ સાથ આપ્યો હતો. જોકે, ડિરેક્ટર રામગોપાલ વર્માએ દીવો પ્રગટાવાની જગ્યાએ સિગરેટ જલાવી હતી અને એક ટ્વિટ કર્યું હતું.
કોરોના સંકટ વચ્ચે આ ફિલ્મમેકરે કરી વિવાદાસ્પદ પોસ્ટ
5 એપ્રિલે દીવા પ્રગટાવાની જગ્યાએ કર્યું આ કામ
કોરોનાના કહેર વચ્ચે રામગોપાલ વર્માએ કરી આ હરકત
9 PM Disclaimer : Not following Corona warnings is far more dangerous than not following government warnings on cigarette smoking pic.twitter.com/Few9fyXhOg
રામગોપાલ વર્માએ પોતાની એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેઓ સિગરેટ જલાવતા જોવા મળી રહ્યાં છે. તેમણે આ તસવીરના કેપ્શનમાં લખ્યું-રાત 9 વાગ્યે. ડિસ્ક્લેમરઃ સરકારની કોરોનાની ચેતવણીને ફોલો ન કરવી સિગરેટ સ્મોકિંગની ચેતવણીને ફોલો ન કરવાથી અનેક ગણી વધારે ખતરનાક છે. તેમના આ ટ્વિટ પર લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી છે.
My doctor just told me that I tested positive with Corona
રામગોપાલે એપ્રિલ ફુલને લઈને પણ કર્યું હતું એક વિવાદાસ્પદ ટ્વિટ
તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલાં જ રામગોપાલે આવી એક વિવાદાસ્પદ ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે હું કોરોના પોઝિટિવ છું. રામ ગોપાલના આ ટ્વિટથી લોકો પરેશાન થઈ ગયા અને ટ્વિટ કરીને તેમની સ્થિતિ પૂછવા લાગ્યા. જોકે, કોરોના પોઝિટિવ ટ્વિટ કર્યાના થોડાં જ સમયમાં તેમણે એક અન્ય ટ્વિટ કરીને જણાવ્યું કે, તેમના ડોક્ટરે તેમની સાથે મજાક કરી હતી અને આ એપ્રિલ ફુલ ડેનો પ્રેન્ક હતો. જે મજાક બાદ લોકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા, જે બાદ તેમને માફી માંગવી પડી હતી.