રામદાસ અઠાવલેએ સદનમાં જે ભાષણ આપ્યું તેની પર પીએમ મોદી સહિતા હાજર તમામ નેતાઓ જોરજોરથી હસવા લાગ્યાં. તમને જણાવી દઇએ કે તેમનાં ભાષમ પર બોલીવુડ પ્રોડ્યુસર અશોક પંડિતે પણ પોતાનું રિએક્શન આપ્યું છે. રામદાસ અઠાવલેએ સંસદમાં ઓમ બિરલાને લોકસભા સ્પીકર બનવા પર પોતાનાં જ અંદાજમાં શુભકામના પાઠવી હતી. આ દરમ્યાન તેમનું ભાષણ સાંભળીને પીએમ મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત તમામ નેતાઓ હસવા લાગ્યાં.
(Credit: Firstpost)
ન્યૂ દિલ્હીઃ લોકસભા (Lok Sabha)માં આજે સાંસદોએ સદનનાં સ્પીકર તરીકે કોટાનાં બીજેપી (BJP) સાંસદ ઓમ બિરલા (Om Birla)ને પસંદ કર્યા. ઓમ બિરલા હવે લોકસભાનાં સ્પીકર બની ગયા છે. ઓમ બિરલાને શુભકામના પાઠવવા માટે તમામ પાર્ટીનાં નેતાઓએ ભાષણ આપ્યું. પરંતુ જે નેતાનાં ભાષણે સૌનું ધ્યાન ખેંચ્યુ તો તે છે રામદાસ અઠાવલે. (Ramdas Athawale). રામદાસ અઠાવલેનાં ભાષણ પર પીએમ મોદી સહિતા સદનમાં હાજર તમામ નેતાઓ જોરજોરથી હસવા લાગ્યાં. તમને જણાવી દઇએ કે તેમનાં ભાષમ પર બોલીવુડ પ્રોડ્યુસર અશોક પંડિતે પણ પોતાનું રિએક્શન આપ્યું છે.
રામદાસ અઠાવલેએ સંસદમાં ઓમ બિરલાને લોકસભા સ્પીકર બનવા પર પોતાનાં જ અંદાજમાં શુભકામના પાઠવી હતી. આ દરમ્યાન તેમનું ભાષણ સાંભળીને પીએમ મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત તમામ નેતાઓ હસવા લાગ્યાં. માત્ર એટલું જ નહીં પરંતુ રામદાસ અઠાવલે રાહુલ ગાંધીને તેમનાં જન્મદિવસ પર શુભકામના પણ પાઠવી હતી. અઠાવલેએ કહ્યું કે, 'ખૂબ કોશિશ કરી, પરંતુ લોકતંત્રમાં લોકો જે ઇચ્છે છે તેની જ સરકાર બને છે. જ્યારે આપની સત્તા હતી ત્યારે હું આપની સાથે હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસવાળા કહી રહ્યાં હતાં કે અહીં આવો, પરંતુ મેં કહ્યું કે, ત્યાં આવીને શું કરીશ. મેં હવાનું વલણ જોયું હતું કે, હવા મોદીજી તરફ હતી.
લોકોએ જે મેંડેટ આપ્યું છે તેને માનીને હું વિપક્ષને પણ કહેવા ઇચ્છું છું કે બિલ પાસ કરવા માટે, દેશને ચલાવવા માટે, કાયદા બનાવવા માટે આપની જરૂરિયાત રહેશે. અમારી સરકાર 5 વર્ષ સુધી ચાલશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ વધુ 5 વર્ષ સુધી ચાલશે. મતલબ કે અમારી સરકાર સારું કામ કરતી રહેશે તો સરકારમાં આવતી રહેશે. નહીં કરે તો નહીં આવે.'