એકાદશીનું વ્રત નિયમાનુસાર રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય
સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે
આવનારી એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે
દરેક ઉપવાસનું અને વ્રતનું પોતાનું અલગ અલગમહત્વ છે પણ દરેક વ્રત કે ઉપવાસોમાં સૌથી મુશ્કેલ હોય છે તો તે છે એકાદશીનો ઉપવાસ. જણાવી દઈએ કે એકાદશી ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીનું વ્રત નિયમાનુસાર રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. દર મહિનામાં બે એકાદશી વ્રત આવે છે અને બંને એકાદશીનું પોતાનું મહત્વ છે.
હાલ આવનારી અગિયારસને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પહેલા દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આને એક ખાસ વ્રત તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક કષ્ટ દૂર થાય છે. આ દિવસે વ્રત રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સૌભાગ્યની અને આરોગ્ય પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીની તારીખ, શુભ સમય અને મહત્વ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
રમા એકાદશીની તારીખ અને સમય
આવનારી એકાદશીને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે વ્રત રાખવામાં આવે છે. રમા એકાદશી 21 ઓક્ટોબર શુક્રવારે આવી રહી છે. જો કે એકાદશી તિથિ 20 ઓક્ટોબરે સાંજે 04.04 વાગ્યાથી શરૂ થશે અને 21 ઓક્ટોબરે સાંજે 05.22 વાગ્યે સમાપ્ત થશે. રમા એકાદશી વ્રત પારણ દ્વાદશી તિથિ એટલે કે વ્રતને 22 ઓક્ટોબરે તોડવામાં આવશે. આ દિવસે ઉપવાસ તોડવાનો સમય સવારે 06:30 થી શરૂ થઈને સવારે 08:45 સુધી રહેશે.
આ વિધિથી કરો રમા એકાદશીનું વ્રત
- જણાવી દઈએ કે એકાદશીનું વ્રત દશમની તીથીની સાંજે સૂર્યાસ્ત પછી શરૂ થશે. એકાદશી વ્રતના દિવસે સવારે જલ્દી ઊઠીને સ્નાન કરવું જોઈએ.
- ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સામે વ્રતનું સંકલ્પ કરો અને એ પછી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિધિવત પૂજા કરો.
- ભગવાન વિષ્ણુ સાથે આ દિવસે મા લક્ષ્મીના મંત્રોનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો.
- આ સાથે જ એકાદશીના દિવસે ભગવાનને શયનભોગ અર્પણ કરો.
- દ્વાદશીના દિવસે એકાદશી વ્રત તોડીને જરૂરિયાતમંદોને દાન કરો.