લોકસભામાં ગુરૂવારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાને સદનની અધ્યક્ષતા કરી રહેલા ભાજપ સાંસદ રમા દેવીને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આઝમ ખાનની ટીપ્પણી બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. જેને લઇને હવે રમા દેવીએ આઝમ ખાન માફી માગે તેવી માગણી કરી હતી.
સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની ટિપ્પણી પર રમા દેવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઝમ ખાને કયારેય મહિલાઓની ઇજ્જત કરી નથી, મને ખબર છે કે તેમણે જયાપ્રદાને લઇને શું કહ્યું હતું. તેમને લોકસભામાં રહેવાનો કોઇ હક નથી.
ભાજપના સાંસદ રમા દેવીએ જણાવ્યું કે હું સ્પીકરને તેમને બહાર કરવાની માંગ કરીશ. આઝમ ખાને માફી માંગવી જોઇએ. ઉલ્લેખનીય છે કે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામપુરના સાંસદ આઝમ ખાને એક ટિપ્પણી કરતાં હોબાળો મચી ગયો હતો.
આઝમ ખાને પોતાની વાતની શરૂઆત એક શેર 'તુ ઇધર-ઉધર કી ના બાત કર..'થી કરી, પરંતુ ત્યારબાદ આઝમ ખાને કહ્યું તેના પર ભારતીય જનતા પાર્ટી તરફથી હંગામો શરૂ થઇ ગયો. જે સમયે આઝમ ખાન બોલી રહ્યાં હતા ત્યારે સ્પીકરની ખુરશી પર ભાજપના સાંસદ રમા દેવી બેઠા હતા.
આઝમ ખાને લોકસભાની સ્પીકરની ખુરશી પર બેઠલા ભાજપના સાંસદ રમા દેવીને લઇને ટિપ્પણી કરી હતી. જેના પર સત્તા પક્ષના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રમાદેવીએ આઝમ ખાનના શબ્દોને સંસદની કાર્યવાહીથી દૂર કરવાનો આદેશ આપ્યો.
Rama Devi,BJP MP on Azam Khan's remark on her: He has never respected women, we all know what he had said about Jaya Prada ji. He has no right to stay in Lok Sabha, I will request Speaker to dismiss him. Azam Khan must apologize. pic.twitter.com/z3pczYFkuB
જ્યારે આ મામલે સંસદમાં વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે આઝમ ખાને કહ્યું કે જો મે એવું કાંઇપણ કહ્યું હોય જેના કારણે સદનની કાર્યવાહી માટે ખોટું છે તો તે રાજીનામું આપવા તૈયાર છે. ત્યારબાદ આઝમ ખાન સદન છોડીને જતા રહ્યાં હતા.