અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ ચાલી રહી છે. 5 ઓગસ્ટથી અહીં પૂજન થવાનું છે જેના માટે હવે 48 કલાકથી પણ ઓછો સમય બચ્યો છે. ભૂમિ પૂજન માટે અંદાજિત 200 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં વરિષ્ઠ ભાજપ નેતા અને રામ મંદિર આંદોલનના આગેવાન નેતા લાલકૃષ્ણ અડવાણી અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નામ નથી.
5 ઓગસ્ટના રામ મંદિરનું ભૂમિપૂજન
અડવાણી, કલ્યાણસિંહે કેમ ન મોકલ્યું આમંત્રણ?
ચંપત રાયે સ્પષ્ટ આપ્યું કારણ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું કે, ભૂમિ પૂજન કાર્યક્રમમાં અહીંથી લઇને નેપાળના સંતો સુધી બોલાવવામાં આવ્યા છે. કેટલાક લોકો સંતોને પણ દલિત કહે છે જ્યારે તે લોકો ભગવાનના માણસ છે. ભારતના ભૂગોલનો દરેક ભાગ અહીં પર રહેશે. સંત મહાત્મ મળીને અંદાજિત 175 લોકો સામેલ થશે. તેમણે જણાવ્યું કે, પદ્મશ્રી મેળવી ચૂકેલા ફૈઝાબાદના મોહમ્મદ યૂનુસને બોલાવવામાં આવ્યા છે. તેઓ બિનવારસી મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરે છે. તે પછી ભલે ગમે તે ધર્મના હોય.
અડવાણી અને ક્લયાણસિંહને નથી બોલાવવામાં આવ્યા
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું કે, જેમને નથી બોલાવી શકાતા તેમની વ્યક્તિગત ફોન કરીને માફી માંગી છે. ઉંમરનું પણ ધ્યાન રાખ્યું છે. 90 વર્ષના વ્યક્તિ કેવી રીતે આવી શકશે. અડવાણીજી કેવી રીતે આવી શકશે. ચંપત રાયે કહ્યું કે, મે કલ્યાણસિંહને કહ્યું કે, તમારી ઉંમર બહુ વધારે છે તમે આ ભીડમાં ન આવો, તેઓ માની ગયા.