ગાજિયાબાદના લોનીથી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર ફરી વિવાદના કારણે ચર્ચામાં છે. તેમના પર આરોપ છે કે ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલન ખતમ કરવા જઈ રહ્યા હતા પણ અચાનક ધારાસભ્યએ આખો ખેલ બગાડી નાંખ્યો. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે તેમના પર આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય પ્રશાસન સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા હતા.
100 લોકોની સાથે પહોંચ્યા હતા ધારાસભ્ય
નંદ કિશોરે કહ્યુ ટિકૈત ખોટું બોલે છે
ટિકૈતે આવા જ આરોપો સુનિલ શર્મા પર પણ લગાવ્યા છે
ધારાસભ્યનું કહેવું છે કે તેમણે અધ્યક્ષને પોતાનો પક્ષ દર્શાવી દીધો છે
ભારતીય ખેડૂત યુનિયનના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર અને સાહિબાબાદના ધારાસભ્યો સુશીલ શર્મા પર ઘોટાળાનો આરોપ લગાવતા તેમના પર કૌશાંબી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવા તાહિર પણ આપી છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે ધારાસભ્યને ફોન કરીને સમગ્રા મામલામાં સફાઈ માંગી છે. ધારાસભ્યનું કહેવું છે કે તેમણે અધ્યક્ષને પોતાનો પક્ષ દર્શાવી દીધો છે.
100 લોકોની સાથે પહોંચ્યા હતા ધારાસભ્ય
સૂત્રોનું કહેવું છે કે રાકેશ ટિકૈત અને અધિકારીઓની સાતે વાતચીત યોગ્ય દિશામા ચાલી રહી હતી. રાકેશ આંદોલન સ્થળ ખાલી કરવા પર લગભગ સહમત થઈ ગયા હતા. અચાનક આખો ખેલ બગડી ગયો. ટિકૈતનો આરોપ છે કે ભાજપા ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પોતાની સાથે 100 કરતા પણ વધારે કાર્યકર્તાઓને લઈને ઘૂસી આવ્યા હતા. જેના પર ટિકૈતે વાતચીત અધવચ્ચે જ છોડી દીધી. ટિકૈતે આવા જ આરોપો સુનિલ શર્મા પર પણ લગાવ્યા છે.
.@BJP4UP's Loni MLA, Nand Kishor Gurjar is at Ghazipur border along with his goons and instigating violence against farmers.
નંદ કિશોર ગુર્જરે કહ્યું કે , રાકેશ ટિકૈતના આરોપ સંપૂર્ણ રીતે ખોટા છે. જેલમાં જવાથી બચવા માટે તેઓ મારા પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. મારુ લોકેશન તપાસી લેવામાં આવે. હું રાકેશ ટિકૈતના ઘરનાના 10 કિલોમીટરના દાયરામાં હાજર જ નહોંતો.