બ્રેકિંગ ન્યુઝ
VTV / Rakesh Tikait's big statement regarding UP elections
Last Updated: 05:33 PM, 2 November 2021
ADVERTISEMENT
ખેડૂતોનું આદોલન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. તેમા પણ હવે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી શકે છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં ચુટણીને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે જનતા ભાજપનેજ ઉત્તરપ્રદેશમાં વોટ આપવાની છે. જેથી તેમનીજ જીત થવાની છે.
ADVERTISEMENT
ભાજપ લોકોને તોડવાનું કામ કરે છે: ટિકૈત
વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું ભાજપ એટલા માટે જીતશે કારણકે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું ભાજપ બીજી પાર્ટીઓને શામેલ થતા રોકશે . ઉપરાંત રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે ભાજપ જ્યા પણ જાય છે ત્યા લોકોને તોડવાનું કામ કરતી હોય છે.
ખેડૂતો દિલ્હીની સરહદ પરજ દિવાળી મનાવશે
રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન વીશે કહ્યું કે દિવાળીએ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ત્યા દિવા પ્રગટાવશે. સાથેજ તેમણે કહ્યું કે જો બોર્ડર ખુલશે તો તેઓ દિલ્હીમાં અંદર જશે. ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સંસદમાંજ તેની પાકને વેચવાનો પ્રયાસ કરવાના છે.
સરહદો ખુલી તો દિલ્હીમાં ટ્રેકટર સાથે જઈશું
જો સરહદો ખોલવામાં આવી તો પછી ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી રવાના થશે. ટિકૈતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત પણ હવે નથી કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે કે એક સરકાર એવી પણ હતી કે જેના કારણે ખેડૂતોને એક વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.