ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કોંગ્રેસ નેતા વિદ્યા રાનીના નિવેદન પર પ્રહાર કર્યા છે. ટિકૈતે કહ્યું હતું કે અમારા આંદોલનમાં આલ્કોહોલનું શું કામ છે? મને ખબર નથી કે તે આવી ટિપ્પણી કેમ કરે છે.
રાકેશ ટિકૈતે કોંગ્રેસ નેત્રીના નિવેદનની ટીકા કરી
અમારા આંદોલનમાં શરાબનું શું કામ છે : ટિકૈત
આવ લોકોને ખેડૂત આંદોલન સાથે કઈં પણ લેવા દેવા નથી : ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આવા લોકોનો ખેડૂત આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી. વિદ્યા રાનીએ આવી કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ, તે ખોટું છે, આવા લોકો તેમના આંદોલનમાં જે ઈચ્છે તે વહેંચી શકે છે.
What is the use of liquor here? I don't know why she's making such comments. Such people don't have anything to do with the movement. It's wrong & shouldn't be done. They can distribute whatever they want to, at their movement: Rakesh Tikait, BKU on Congress' Vidya Rani's remark pic.twitter.com/FPNe9tuekn
દિલ્હીની સીમા પર બેઠેલા લોકોને દારૂ આપવી જોઈએ : વિદ્યારાની
મહત્વનું છે કે જીંદના નરવાનાથી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિદ્યારાની દાનૌડાએ રવિવારે કહ્યું હતું કે, દિલ્હીની સીમા પર ખેડૂતો ધરણા પર બેઠા છે. આપણે કોંગ્રેસને મજબૂત બનાવવામાં તેમની મદદ કરવી જોઈએ. તેમને પૈસા, આલ્કોહોલ, શાકભાજી અને અન્ય રીતે મદદ કરી શકાય છે.
ધારાસભ્ય સુભાષ ગંગોલીના નેતૃત્વમાં રવિવારે બપોરે 12 વાગ્યે કોંગ્રેસ કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં તમામ વક્તાઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપવાની વાત કરી હતી. આ દરમિયાન વિદ્યારાની દાનોડાએ મદદના નામે બે પગલા આગળ વધી ગયા હતા અને કહ્યું કે ખેડૂત આંદોલન જેટલું મજબૂત બનશે, કોંગ્રેસ જેટલી મજબૂત હશે. આ પછી, અમે જે પણ આંદોલન કરીએ છીએ તે ખૂબ જ મજબૂત હશે. આ માટે આપણે ખેડૂતોની મદદ કરવી પડશે.
કોંગ્રેસના જ લોકો આ નિવેદન પર હસી પડ્યા હતા
અમે પૈસા, શાકભાજી, ફળો, દૂધ અને આલ્કોહોલ મોકલીને ખેડૂતોની મદદ કરી શકીએ છીએ. આ પછી સભામાં હાજર તમામ કોંગ્રેસીઓ હસવા માંડ્યા હતા. મીટિંગમાં હાજર કેટલાક લોકોએ વિદ્યારાનીને વચ્ચે રોક્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ઘણા વૃદ્ધ લોકો ઠંડીમાં દિલ્હી બોર્ડર પર બેઠા છે, તેમની તબિયત ખરાબ છે. તેમને આલ્કોહોલ દવા તરીકે આપી શકાય છે.
જો કે આ પછી વિદ્યારાનીએ નિવેદન આપતા કહ્યું હતું કે આ પ્રકારની વાત મજાકમાં કહેવામાં આવી હતી. કેટલાક લોકોએ પૂછ્યું હતું કે બીમાર વૃદ્ધ લોકો ઠંડીમાં ત્યાં બેઠા છે, તેથી તેમના માટે દવાની વ્યવસ્થા કરવી જોઈએ. આના પર, મેં કહ્યું કે આપણે દવામાં પણ મદદ કરવી જોઈએ. કેટલાક લોકોએ તેને તોડી મરોડીને વ્યક્ત કર્યું હતું.