ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા દિગ્ગજ ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલાએ ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએલ)ના ૨૭.૮૫ લાખ શેર ખરીદ્યા છે. સપ્ટેમ્બરમાં આ શેરની સરેરાશ કિંમત રૂ. ૪૨.૮૩ હતી. ત્યાર બાદ શેરમાં ૧૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.
અધધ ૧૨ કરોડ રૂપિયાના શેર હવે ઝુનઝુનવાલાના નામે
બીએસઇ પર ખરીદીના આંકડા પરથી આ માહિતી મળી છે. ઝુનઝુનવાલાએ કુલ રૂ.૧૨ કરોડના શેર ખરીદ્યા છે. આંકડા અનુસાર એકલા સતપાલ ખટ્ટરે આઇઆઇએફએલ સિક્યોરિટીઝના ૩૦ લાખ શેર વેચ્યા છે. દરેક શેરની કિંમત રૂ. ૪૨.૭૪ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં સતપાલ ખટ્ટરે આઇઆઇએફએલના ૬૨.૧૬ લાખ શેર ખરીદ્યા હતા અને એ સાથે કંપનીમાં તેમની ભાગીદારી ૧.૯૫ ટકા થઇ ગઇ હતી.
ગયા વર્ષે થયું છે આઈઆઈએફએલ નું લિસ્ટિંગ
આઇઆઇએફએલ સિક્યોરિટીઝ ગઇ સાલ મૂળ કંપનીથી અલગ થયા બાદ ૨૦ સપ્ટેમ્બરે શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું હતું. ગઇ સાલ ફાઇનાન્શિયલ સર્વિસ કંપની આઇઆઇએફએલ હોલ્ડિંગ્સે પોતાના ફાઇનાન્સ, વેલ્થ અને કેપિટલ બિઝનેસને ત્રણ અલગ અલગ કંપનીમાં વિભાજિત કરીને તેના શેરનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવાની જાહેરાત કરી હતી.