રાજકોટ: પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાત આવી શકે છે. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપી શકે છે. જ્યાં તેઓ ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. જેના માટે મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે કલેટર અને પોલીસ કમિશનરે આજરોજ સ્કૂલની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો. જેથી હવે કદાચ આ મ્યુઝિયમના ઉદ્ઘાટન માટે પીએમ મોદી ગુજરાતમાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની મધ્યમાં આવેલી આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કામકાજ હાલ અંતિમ તબક્કામાં છે. જ્યાં બાપુનો અમુલ્ય વારસાને લોકોનો નિહાળી શકે અને તેમના સિદ્ધાંતોની જાણકારી મેળવી શકે તે માટે રાજકોટ મહાનગરપાલીકાએ ગાંધીજી જે સ્કુલમાં અભ્યાસ કરતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કુલને ગાંધી અનુભૂતી કેન્દ્રમાં વિલીન કરવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ લોકોના મનોરંજન માટે અન્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે.
ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સ્થળને અનૂભૂતિ કેન્દ્ર નામ આપીને આગામી 2 ઓક્ટોબરના રોજ ગાંધીવાદીઓને સમર્પિત કરવાનું નક્કી કરતા તેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે એક આમંત્રણ દેશના PM ને મોકલી આપેલ છે.
આપને જણાવી દઇએ કે આશરે 21 કરોડનાં આ પ્રોજેકટમાં મ્યુઝિયમનાં માધ્યમથી મહાત્મા ગાંધીજીનાં સત્ય હિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય.
તેમજ લોકો તેમાંથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં સ્થાપિત કરી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવી ખાસ વ્યવસ્થાન સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.