બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vaidehi
Last Updated: 06:31 PM, 4 February 2023
હાલ સનાતન ધર્મને લઈ બાગેશ્વર ધામના પીઠા ધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયાની હેડલાઇનમાં છવાયેલા છે. ત્યારે આ તમામની વચ્ચે રાજકોટના એક ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા અનોખી યોજના બહાર પાડવામાં આવી છે. 15 વર્ષ સુધીના બાળકોને હનુમાન ચાલીસા મોઢે બોલવાથી જમવાનું મફત મળશે આ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી છે.
જલારામ ફૂડ કોર્ટ દ્વારા અનોખો પ્રયોગ
આજે ભારતભરમાં હિન્દુ ધર્મની અંદર જ અનેક જાત જાતના સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય અન્ય કરતાં પોતે મહાન હોવાનો દાવો પણ કરે છે. આ જ પ્રકારનો દાવો જે તે સમયે આદિ ગુરુ શંકરાચાર્યના સમયમાં પણ કરવામાં આવતો હતો. તે સમયે તેમને અદ્વૈત વાદનો સિદ્ધાંત ભારત સહિત સમગ્ર વિશ્વને આપ્યો હતો. તો સાથે જ જણાવ્યું હતું કે, "સનાતન ધર્મ હી સબસે પુરાતન એવમ્ શ્રેષ્ઠ હે". ત્યારે આ જ સનાતનની પરંપરાને આગળ વધારવા માટે રાજકોટના જલારામ ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
રાજકોટની હોટલમાં શરૂ થઈ નવી સ્કીમ
લોકોમાં આજકાલ સનાતન ધર્મ પ્રત્યે લોકોની લાગણી ખૂબ જ વધી છે ત્યારે રાજકોટમાં હોટેલમાં જમવા આવતા લોકો માટે હોટલ દ્વારા હનુમાન ચાલીસા બોલે તેવા 15 વર્ષથી નીચેના બાળકો માટે જવાનું ફ્રીમાં આપવામાં આવે છે તેમજ લોકોએ VTV ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આવા નિર્ણયથી હિન્દુ સમાજમાં સનાતન ધર્મના પ્રચાર માટે આ સારું માધ્યમ છે. તેમજ આ એક હોટલ નહીં પરંતુ દરેકની હોટલો આવા નિર્ણય લઈને હિંદુ સંસ્કૃતિમાં સનાતન ધર્મનો પ્રચાર થવો જોઈએ.
જમવાનું તદ્દન ફ્રી
જલારામ ફૂડ કોર્ટ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે બાળકો પોતાના પરિવારજનો સાથે જમવા આવે છે. ત્યારે અહીં અવનવી વાનગીઓ પણ તેમને પીરસવામાં આવે છે. સનાતન ધર્મનો મહિમા આગળ વધે તેમજ બાળકોમાં હનુમાનજી મહારાજની જેમ બળ અને બુદ્ધિનો સમન્વય થાય તે હેતુથી એક અવનવી યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત 15 વર્ષ સુધીના બાળકો અહીં આવીને હનુમાન ચાલીસા મોઢે બોલશે તો તેમને જમવાનું તદ્દન ફ્રી આપવામાં આવશે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હનુમાનજી મહારાજ ને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનાં દાતા ગણવામાં આવે છે. ત્યારે આજે જ્યારે બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે તેવા સમયમાં બાળકોમાં એક સકારાત્મક ઊર્જાનું નિર્માણ થઈ અને બાળકો હનુમાન ચાલીસા મોઢે બોલતા થાય તે હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે.
હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે
સંત શ્રી તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસા અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ મુગલ બાદશાહ અકબરની જેલમાં લખવામાં આવી હતી. તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે. તેમજ આજે પણ હનુમાન ચાલીસાનો મહિમા ઠેક ઠેકાણે ગવાઈ છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટની આ હોટલ દ્વારા સનાતન ધર્મ માટે લેવાયેલ નિર્ણયની પ્રશંસા લોકોમાં સૌથી વધુ મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert