રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં અધિકારીઓના પાપે ભાદર નદી પ્રદૂષિત બનતા ભૂખી ગામના લોકોએ પીવાના પાણીનો ઈન્કાર કર્યો છે. ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડાતા ભાદર નદી પ્રદૂષિત બની છે. આ નદીનું પાણી પીવાથી ભૂખીના લોકોને ચામડીના ગંભીર રોગો થાય છે. જેતપુર ડાઈંગના સંચાલકો ભાદર નદીમાં સિલિકેટ અને અનેક ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવી રહ્યા છે.
ભૂખી ગામના સરપંચે એવો આક્ષેપ કર્યો છે કે ભાદરનું પાણી પીવાથી ગામમાં ઘેર ઘેર ચામડી અને કિડનીના રોગોના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તો નાયબ કાર્યપાલક ઈજનેર પણ કહી રહ્યા છે કે પાણી દૂષિત છે છતાં કેમ લોકોને પીવા માટે અપાય છે.
આજથી 2 વર્ષ પહેલા લેબોરેટરી ટેસ્ટ કરાવેલમાં પીવા લાયક પાણી ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ પાણી ફક્ત ખેતીમાં ઉપયોગ કરી શકાય છે અનેકવાર રજૂઆત છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.
ત્યારે અનેક સવાલો ઉદભવે છે... કયાં સુધી પોલ્યુશન બોર્ડ ધોરાજીના ડાઈંગ સંચાલકોને છાવરશે? કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓ સામે કેમ નથી લેવાતા પગલા? પોલ્યુશન બોર્ડની બેદરકારીથી જેતપુરમાં ભાદર નદી બની પ્રદૂષિત! કેમ ભૂખી ગામના લોકોએ પીવાના પાણીનો ઈન્કાર કર્યો? સરકાર ઉધોગકારોને છાવરતા લોકો પીડાઈ રહ્યા છે રોગોથી...
પીવાલાયક પાણી નથી કેમ અપાય છે પાણી? સરકારની બેદરકારીથી લોકો પીડાય છે ગંભીર રોગોથી? નદીમાં ખુલ્લેઆમ છોડાય છે પાણી પગલા કેમ નહી? કેટલા સમયથી ભાદર નદીમાં છોડાય છે કેમિકલયુક્ત પાણી? પોલ્યુશન બોર્ડ કેમ છાવરે છે કંપનીના માલિકોને? પોલ્યુશન બોર્ડ કેમ કરતુ નથી કાર્યવાહી? શું હપ્તાથી કંપનીના માલિકો સામે કાર્યવાહી થતી નથી?