રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ અંગે ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. પીએમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. પોલીસે પીએમ માટે મૃતદેહ પરત મંગાવતા આખો ભાંડો ફૂટ્યો હતો.
પીએમ કર્યા વિના પરિવારને મૃતદેહ સોંપાયો
પોલીસે મૃતદેહ પરત મંગાવ્યો
અંતિમવિધિ દરમિયાન પોલીસે મૃતદેહ પાછો માગ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ અંગે ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. પીએમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. પોલીસે પીએમ માટે મૃતદેહ પરત મંગાવતા આખો ભાંડો ફૂટ્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી: અકસ્માતમાં પીએમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોંપી દેવાયો, પોલીસે પીએમ માટે મૃતદેહ પરત મંગાવ્યો, મોતનો મલાજો ન જળવાય તેવી પોલીસની કામગીરી#Rajkot
મોતનો મલાજો ન જળવાય તેવી પોલીસની કામગીરી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. અંતિમવિધિ દરમિયાન મૃતદેહ પાછો મંગાવાયો હતો, બેદરકારીથી કામ કરતા તંત્ર સામે પરિવારજનોમાં રોષ ઠાલવ્યો હતો. બેદરકારી બદલ હોસ્પિટલનો લુલો બચાવ સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તરફથી પરિવારને એમ કહેવામાં આવ્યું હતુ કે, ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો PM કરાવવું પડશે.
સળગતા સવાલ
પીએમ કર્યા વિના મૃતદેહ કેવી રીતે આપી દીધો?
બેદરકારી રાજકોટ સિવિલ કરે અને મુશ્કેલી વેઠે મૃતકના પરિવારજનો?
શું રાજકોટ સિવિલમાં કોઇ તપાસ વિના જ મૃતદેહ આપી દેવાય છે?
મૃતદેહ સોંપ્યો ત્યારે કોઇએ તપાસ કરી હતી?
પીએમ વિના મૃતદેહ સોંપી દેવાયો અને હોસ્પિટલ તંત્રને જાણ જ નથી?