અલ્પેશ ઠાકોરને લઇને પ્રભારી રાજીવ સાતવે મોટું નિવેદન કર્યું છે. અલ્પેશ ઠાકોરને રાજીવ સાતવે શંકરસિંહ વાઘેલા સાથે સરખાવ્યા છે. શંકરસિંહની જેમ ઘણા આવીને ગયા પાર્ટીને કોઇ ફરક પડ્યો નથી. શંકરસિંહ પાર્ટી છોડી ગયા ત્યારે આવી જ ચર્ચા ચાલી હતી. આવા લોકો આવશે અને જશે પણ પાર્ટીને કોઇ ફરક પડશે નહીં.
અમદાવાદ: અલ્પેશ ઠાકોરને લઇને પ્રભારી રાજીવ સાતવે મોટું નિવેદન કર્યું છે. અલ્પેશ ઠાકોરને રાજીવ સાતવે શંકરસિંહ વાઘેલા સાથે સરખાવ્યા છે. શંકરસિંહની જેમ ઘણા આવીને ગયા પાર્ટીને કોઇ ફરક પડ્યો નથી. શંકરસિંહ પાર્ટી છોડી ગયા ત્યારે આવી જ ચર્ચા ચાલી હતી. આવા લોકો આવશે અને જશે પણ પાર્ટીને કોઇ ફરક પડશે નહીં.
અલ્પેશ ઠાકોરનું રાજીનામું
અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું છે.
સોશિયલ મીડિયાનાં માધ્યમથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ફેસબુકનાં માધ્યમથી પોતાનાં પદનું રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તમામ પદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે.
અલ્પેશ ઠાકોરનું નિવેદન
અલ્પેશ ઠાકોરે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે, 'મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. ઠાકોર સેનાએ મને આદેશ આપ્યો હતો. અપમાન, અવગણના અને વિશ્વાસઘાત હોય ત્યાં ન રહેવું જોઇએ. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે મેં કલ્પના પણ કરી ન હોતી.'
ઠાકોર સેનાએ આપ્યું હતું અલ્ટીમેટમ
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાનાં જ આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં જ કોંગ્રેસનાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને કહ્યું છે અલવિદા
અત્રે જણાવી દઇએ કે, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની હરોળમાં આવતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની વિધાનસભા ચૂંટણી સમયે જ પક્ષને અલવિદા કહી દેતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોરે રાજીનામું ધરી દેતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.