બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયાન સિનેમામાં પોતાના અલગ અંદાજથી લોકોનું મન મોહી લેનારા એક્ટર રજનીકાંતને રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઍવોર્ડને પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો હતો.
રજનીકાંતે ઍવોર્ડ પોતાના મિત્રને સમર્પિત કર્યો
રજની કંડક્ટર અને રાજ બહાદૂર ડ્રાઇવર હતા
રાજ બહાદૂરે જ શિવાજી રાવ ગાયકવાડને રજની બનાવ્યો
રજનીકાંતનો મિત્ર છે રાજબહાદૂર
રજનીના ફેન્સ રાજ બહાદૂરને ઓળખતાં હશે. આ વ્યક્તિ બેંગ્લોરના ચમરાજપેટમાં રહે છે. રાજ બહાદૂર તે જ વ્યક્તિ છે જેણે શિવાજીરાવ ગાયકવાડને રજનીકાંત બનવા માટે પ્રેરિત કર્યો હતો. આ તે જ વ્યક્તિ છે જેણે રજનીને તમિળ ભાષા બોલતા શીખવાડી. આ વાતને ખુબ ઓછા લોકો જાણે છે કે બંનેની કહાણી કૃષ્ણ-કુલેચાની પૌરાણિક કથાથી મળતી આવે છે. બસ અંતર એટલું છે કે બંનેએ કૃષ્ણ અને કુલેચાની ભૂમિકા અનેકવાર અદલબદલ કરી છે.
એક લોકપ્રિય મિત્રતા
રાહ બહાદૂરે કહ્યું કે, અમારી મિત્રતા 50 વર્ષ જૂની છે. હું તેને 1970માં મળ્યો હતો. તેણે ત્યારે બસ કંડક્ટર અને મેં ડ્રાઇવર તરીકે નોકરી જોઇન કરી હતી. અમારા ટ્રાંસપોર્ટ સ્ટાફમાં તે સૌથી સારો એક્ટર હતો. જ્યારે પણ વિભાગનો કોઇ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે તે કાર્યક્રમ આપતો હતો. ડ્યુટી બાદ તે વિભિન્ન નાટકોમાં કામ કરતો હતો. તે કહેવાની જરૂર નથી કે અભિનયમાં તેમનો કોઇ મુકાબલો કરી શકે છે.
મેં તેને ચેન્નઇમાં એક્ટિંગનો કોર્સ જોઇન કરવા માટે કહ્યું. 2 વર્ષનો એક્ટિંગનો કોર્સ પૂરો કર્યા બાદ તે સંસ્થાએ એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં રજનીએ એક્ટિંગ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે પ્રમુખ ફિલ્મ નિર્માતા કે બાલાચંદ્રન હતા. તેણે કહ્યું કે સાંભળ છોકરા તમિળ શીખી લે. રજની મારી પાસે આવ્યો અને મને બધી વાત જણાવી. જે બાદ મેં તેને તમિળ શીખવાડી અને પછી જે પણ થયું તે આપણે સૌ જાણીએ છીએ.
રાજ બહાદૂરના કહેવા પર રજની જ્યારે એક્ટિંગ સ્કૂલમાં ગયો ત્યારે 400 રૂપિયા રાજ બહાદૂર કમાતા હતા તેમાંથી 200 રૂપિયા રજનીને મોકલતાં હતા. તેમાંથી રજનીએ પોતાનો આ કોર્સ પૂરો કર્યો હતો.