રાજસ્થાનના કરૌલીમાં મોટો હોબાળો મચી ગયો છે. જણાવી દઇએ કે શનિવારે ચૈત્ર નવા વર્ષે બાઇક રેલી યોજવામાં આવી રહતી હતી. આ દરમિયાન રેલીમાં પથ્થરમારો થયો.
રાજસ્થાનના કરૌલીનું બજાર આગને હવાલે
પથ્થરમારામાં 40થી વધારે લોકો ઘાયલ
ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ
રાજસ્થાનનું કરૌલીનું બજાર પથ્થરમારા બાદ આગને હવાલે થયું છે. મળતી માહિતી અનુસાર પથ્થરમારામાં અંદાજિત 42 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાઇ ગયો છે. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કર્ફ્યૂ લગાવી દેવાયો છે. માહિતી અનુસાર, આવતીકાલ મોડી રાત્રી સુધી ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
20થી વધુ દુકાનો અને બાઇક આગના હવાલે
બાઇક રેલી પર થયેલા પથ્થરમારામાં કોતવાલી પોલીસ અધિકારી સહિત 4 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઇજાગ્રસ્તોને જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક ગંભીર ઇજાગ્રસ્તને રિફર કરાયો છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર, 20થી વધુ દુકાનો અને બાઇક આગના હવાલે કરી દેવામાં આવી છે.
Radical Muslims attacked ‘Navin Varsha Swagat Yatra’ in #Karauli, #Rajasthan.
When you are staying in @INCIndia ruled state Hindus can’t expect anything other than this.
Everyone must strongly condemn👇 pic.twitter.com/p0EcYVoqPm
મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આપ્યા આદેશ
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરૌલીમાં થયેલી ઘટનાને લઇને ડીજીપી સાથે વાત કરી સ્થિતિની વિસ્તૃત માહિતી મેળવી છે. સાથે જ પોલીસને તમામ ઉપદ્રવીની સાન ઠેકાણે લાવવાના આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યમંત્રીએ અપીલ કરતા કહ્યું કે શાંતિ બનાવી રાખો. કાયદો-વ્યવસ્થા બનાવવામાં મદદ કરો.
करौली में हुई घटना को लेकर डीजी, पुलिस से बात कर स्थिति की विस्तृत जानकारी ली है। पुलिस को हर उपद्रवी से सख्ती से निपटने के निर्देश दिए हैं। मैं आमजन से अपील करता हूं कि शांति बनाए रखें एवं कानून-व्यवस्था बनाने में सहयोग करें।
કરૌલીમાં શાંતિ વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
ત્યારે રાજસ્થાન પોલીસના અનુસાર, કરૌલીમાં શાંતિ વ્યવસ્થા માટે પોલીસ તૈનાત છે. આઈજી ભરતપુર પ્રફુલ કુમાર ખમેસરા અને આઈજી કાયદો વ્યવસ્થા ભરત મીણા ઘટના સ્થળે હાજર છે. ત્યારે એડીજી સંજીવ નાર્ઝરી, ડીઆઈજી રાહુલ પ્રકાશ અને એસપી મૃદુલ કછવાહા સહિત 50 અધિકારીઓ અને 600થી વધુ પોલીસ કર્મચારી તૈનાત કરાયા છે.
करौली में शान्ति व्यवस्था के लिए पुलिस मुस्तैद
आईजी भरतपुर प्रफुल कुमार खमेसरा व आईजी कानून व्यवस्था भरत मीणा मौके पर मौजूद।
एडीजी संजीब नार्झरी, आईजी भरत मीणा, डीआईजी राहुल प्रकाश व एसपी मृदुल कछवाहा सहित 50 अधिकारियों व 600 से अधिक पुलिसकर्मी किए गए तैनात। @RajCMO
કલેક્ટરે ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપ્યા
પોલીસના અનુસાર, ઘટના બાદ સ્થાનિક જિલ્લા કલેક્ટર અને એસપી શૈલેન્દ્ર ઈંદોલિયા સહિત ભારે પોલીસ ટીમ તૈનાત કરી દેવાઇ છે. શાંતિ વ્યવસ્થા કાયમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરે ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ જાહેર કરી દેવાયો છે. કાલે રાત સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. જણાવી દઇએ કે અફવાઓને રોકવા માટે તંત્રએ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.
Sec 144 imposed, internet suspended after stone-pelting during religious procession in Rajasthan