UNESCO વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના વધુ એક શહેરને શામેલ કરી દીધુ છે.રાજસ્થાનના પાટનગર જયપુર શહેરને UNESCO વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યુ છે.
રાજસ્થાનમાં 37 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે જેમાં ચિત્તોગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનના કિલ્લાનો સમાવેશ થાય છે. આ જાહેરાત UNESCO વર્લ્ડ હેરિટેજ કમિટીએ અઝરબેઝાનના બાકૂમાં ચાલી રહેલા 43માં સત્ર દરમિયાન કરી, જે 30 જૂનના શરૂ થયુ હતુ અને 10 જૂલાઇએ પૂરુ થશે.
તેમણે લખ્યુ કે, ''જયપુરનો સંબંધ સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ઉત્સાહથી ભરપૂર જયપુરની મહેમાનગતિ લોકોને તેના તરફ ખેંચે છે. ખુશી છે કે જયપુરને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યુ છે.''
#Jaipur listed on world map as #WorldHeritage site is not only a matter of prestige but it will give boost to tourism. Local economy will benefit along with improving of infrastructure.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ટ્વીટ કરતા કહ્યુ કે, ''આ ગર્વની વાત છે કે પિંક સિટી જયપુરને UNESCO વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવી છે, જેનાથી રાજસ્થાનની રાજધાની જપયુરનુ ગૌરવ વઘશે.'' તેમણે આગળ કહ્યુ કે, ''જયપુરને હેરિટેજ સાઇટ જાહેર કરવાથી માત્ર ગર્વની સાથે સાથે પર્યટનને પણ પ્રોત્સાહન મળશે અને સાથે અર્થવ્યવસ્થામાં પણ સુધારો આવશે.''
2017માં જૂનું અમદાવાદ ભારતનું સૌથી એવું પહેલું શહેર હતું જેને હેરિટેજ સિટીનું ટેગ મળ્યુ હતુ. 2018માં મુંબઇની વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકોન UNESCO વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપ્યુ હતુ. આ ટેગ મળવાથી ટુરિઝમને વેગ મળવાથી લોકલ અર્થવ્યવસ્થા મજબૂત બને છે અને સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થાય છે. આ સાથે હેન્ડીક્રાફ્ટ અને હેન્લૂમ ઇન્સ્ડસ્ટ્રીમાં આવક પણ વધે છે.