લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ બહાર આવી રહ્યો છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસના એક ધારાસભ્ય અનુસાર, લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગહલોતે લેવી જોઇએ. પાર્ટીના વિધાયક પૃથ્વીરાજ મીણાએ ઉપમુંખ્યમંત્રી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને તમામ 25 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. એ બાદ પાર્ટીમાં જ આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યની ટોડાભીમ બેઠકથી કોંગ્રેસ ધારાસભ્ય મીણાએ પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે પાર્ટી સત્તામાં હોય છે ત્યારે હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે અને જો પાર્ટી વિપક્ષમાં હોય છે તો તે જવાબદારી પાર્ટી અધ્યક્ષની હોય છે.
ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ વધુ વાતચીતમાં જણાવ્યું કે, સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. આ મારું વ્યક્તિગત મંતવ્ય છે. આ વાત પહેલા પણ કહી ચૂક્યા છીએ કેમકે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી હતી.
અહીં જણાવી કે મુખ્યંમંત્રી ગહલોતે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે ઓછામાં ઓછું જોધપુર બેઠક પરથી પાર્ટીની હારની જવાબદારી લેવી જોઇેએ. કેમકે એમણે શાનદાર જીતનો દાવા કરતા હતા. જે બાદ ગહલોત અને પાયલટને લઇને અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.
જોકે, પાર્ટીમાં ચાલી રહેલી આંતરીક ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ડેપ્યૂટી. સીએમ સચિન પાયલટ જયપુરમાં કોંગ્રેસ ઓફિસમાં થયેલી ઇફ્તાર પાર્ટીમાં સાથે નજરે પડ્યા હતા.