રાજસ્થાનના જોધપુરની એક જેલમાંથી 16 કેદીઓ ફરાર થવાના સમાચાર સામે આવ્યા છે.
જેલમાંથી 16 કેદીઓ ફરાર થવાના સમાચાર
તસ્કરો હતા ફરાર થનારા તમામ કેદીઓ
જેલ પ્રશાસનની બેદરકારી પર ઉઠ્યા સવાલો
જેલમાંથી 16 કેદીઓ ફરાર થવાના સમાચાર
મળતી જાણકારી મુજબ જોધપુરની ફલૌદી જેલમાંથી 16 કેદી ભાગી ગયા. મીડિયા રિપોર્ટ મુજબ કેદિઓએ જેલમાં તૈનાત સુરક્ષા કર્મીઓની આંખોમાં મરચાની ભૂકી નાંખી અને ફરાર થઈ ગયા હતા.
Rajasthan: 16 prisoners escaped from Phalodi jail in Jodhpur, today.
મીડિયા રિપોર્ટમા કરવામાં આવેલા દાવા મુજબ તમામ કેદીઓ નશીલા પદાર્થોની તસ્કરી કરતા હતા. તેમણે જેલ રક્ષકની આંખોમાં લાલ મરચાની ભૂકી નાંખી હતી. આ દરમિયાન તેમણે કેટલાક વધારે જેલ રક્ષકોને માર માર્યો હતો અને તમામ ફરાર થઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે જોધપુર પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ફરાર થયેલા કેદીઓની તપાસ કરાઈ રહી છે. પોલીસનો દાવો છે કે જલ્દી ફરાર કેદીઓને પકડી લેવામાં આવશે.
જેલ પ્રશાસનની બેદરકારી કે પછી...
ઉલ્લેખનીય છે કે જેલમાંથી 16 કેદીઓ ભાગી જતા. જેલની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે જેલમાંથી ભાગવું એ કોઈ તાત્કાલીક વિચારને અમલમાં મૂકી સફળ બનાવવા જેટલું સહેલું નથી. તેના માટે કેદીઓએ સંપૂર્ણ જેલ અને તેની સુરક્ષાની રેકી કરી હશે. એ બાદ જ તેમણે ભાગવાનું પ્લાનિંગ કર્યુ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને પગલે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.