અમદાવાદમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત મનેધરાજાનુ આગમન થયુ છે. છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય બફારાથી અમદાવાદીઓ બફાઈ રહ્યા હતા. સિઝનનો બીજો વરસાદ થતાં શહેરીજનોમાં આનંદ છવાયો છે.
ગઇકાલે સાંજે અને મોડી રાત્રે શહેરના એસજી હાઈવે, રાણીપ, અખબારનગર, સાબરમતી, નરોડા, વટવા, નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર, મણીનગર, વાસણા, એસટી ગીતા મંદિર વગેરે શહેરના મોટાભાગોમાં વિસ્તારમાં વરસાદ થતા અમદાવાદીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં પડી રહેલી ગરમી અને બાફના કારણે અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા. જ્યારે અમદાવાદીઓને વરસાદ બાદ ગરમીથી આંશિક રાહત મળી હતી.