રેલ્વે મંત્રાલયે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઇનની તસવીરો જાહેર કરી છે. આ તસવીર એટલી કમાલની છે કે તે કોઇ ઇન્ટરનેશનલ બિલ્ડિંગથી કમ નથી લાગી રહી.
ભારતીય રેલ્વે સ્ટેશનો બનશે અતિ ભવ્ય આધુનીક
નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઇન રજુ કરી
આ વર્ષના અંત સુધીમાં પુનઃ નિર્માણનું કાર્ય ચાલુ થઇ જશે
રેલ્વે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલ્વેની તસવીર બદલવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં ટ્રેનોના કોચથી લઈને રેલ્વે સ્ટેશનો સુધી ઘણા કામ થઈ રહ્યા છે. ઘણા સ્ટેશનોને એટલા આધુનિક બનાવવામાં આવી રહ્યા છે કે અહીં આવતા પેસેન્જરને મોલ કે એરપોર્ટ જેવું લાગે છે.
રેલ્વે મંત્રાલયે પ્રસ્તાવિત ડીઝાઇન જાહેર કરી
હવે રેલ્વે મંત્રાલયે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની પ્રસ્તાવિત ડિઝાઇનની તસવીરો જાહેર કરી છે. આ તસવીર એટલી કમાલની છે કે તે કોઇ ઇન્ટરનેશનલ બિલ્ડિંગથી કમ નથી લાગી રહી. આ ઉપરાંત મોલ અને એરપોર્ટ પણ ઝાંખા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રેલ્વે મંત્રાલયનું કહેવું છે કે રિડેવલપમેન્ટ બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન કંઇક આ રીતે દેખાશે. મંત્રાલયે ટ્વિટ કર્યું, "નવા યુગની શરૂઆત! નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને પૂર્ણ કરવા માટે પ્રસ્તાવિત ડિઝાઇન. '
Marking a New Era: Proposed design of the to-be redeveloped New Delhi Railway Station (NDLS). pic.twitter.com/i2Fll1WG59
મુસાફરોને મળશે વધુ સુવિધા
રેલ્વે મંત્રાલયે આ કામ પૂર્ણ થયા બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોને મળતી સુવિધાઓ વિશે વધારે ખુલાસો કર્યો નથી. જો કે, એવું માનવામાં આવે છે કે, અહીં મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધાઓ મળશે. કેફેટેરિયાથી મુસાફરો માટે આધુનિક આરામગૃહો હશે. વાસ્તવમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર દેશ જ નહીં પરંતુ દુનિયાભરના મુસાફરો પહોંચે છે.
ફરિદાબાદ રેલ્વે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે
આ પહેલા રેલ્વે મંત્રાલયે ફરીદાબાદ રેલ્વે સ્ટેશનની તસવીરો પણ જાહેર કરી હતી. રેલ્વે મંત્રાલય દ્વારા આ સ્ટેશનને આધુનિક બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જાણકારી અનુસાર, પૂર્ણ થયા બાદ આ સ્ટેશન સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત હશે. વર્ષના અંત સુધીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું કામ શરૂ થવાની સંભાવના છે. જો કે રેલ્વે મંત્રાલય દ્વારા હજુ સુધી આ અંગે કોઇ વિગતો શેર કરવામાં આવી નથી.