કોરોના વાયરસના કારણે ભારતીય રેલ્વેનું સંચાલન હવે પહેલા જેવું નથી થઇ રહ્યુ. એવામાં હવે રેલ્વે પોતાના સંચાલન માટે કેટલાક નવા પ્લાન તૈયાર કરી રહી છે. અને ઝીરો બેઝ્ડ પર આધારીત તમામ ટ્રેનો માટે એક નવું ટાઇમ ટેબલ બનાવામાં આવી રહ્યું છે. જેનો મતબલ એ છે કે તમામ યાત્રી ટ્રેનનું ટાઇમ ટેબલ અને તેની ફીક્વન્સી ફરી એકવાર નક્કી કરાશે. મળતી માહિતી મુજબ રેલ્વેએ યોજના બનાવી છે કે તે તમામ મેલ, એક્સપ્રેસ, અને કેટલીક અન્ય ટ્રેનોને હોલ્ટ સ્ટેશન પર ઓછી રોકવા માગે છે. જેથી ટ્રેન પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં ઓછો સમય લે.
દેશમાં હવે ટ્રેન ઓછા સ્ટેશનો પર રોકાશેઃ સૂત્ર
રેલ્વે વિભાગ નવુ ટાઈમટેબલ તૈયાર કરી રહ્યુ છે
ટ્રેનના હોલ્ટ સ્ટેશન સંખ્યા ઓછી કરાશેઃ સૂત્ર
રેલ્વે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે કહ્યું કે કોરોના વાયરસના કારણે આ નિર્ણયને અમલમાં લાવવામાં મોડું થઈ રહ્યું છે. પરંતુ આને જલ્દી લાગુ કરાશે. મળતી માહિતી મુજબ કેટલાક કેસમાં એક્સપ્રેસ અને મેલ ટ્રેનના સ્ટોપેજ બાદમાં નક્કી કરાશે. આ પહેલા અધિકારી એ આકલન કરાશે કે જે સ્ટેશનો પર ટ્રેન રોકાવાની નથી ત્યાં કેટલા યાત્રીઓ ચઢે છે અને ઉતરે છે. રેલ્વેનું માનવું છે કે ટ્રેન સ્ટોપેજને ઓછા કરવામાં આવે તો યાત્રીઓનો સમય બચશે. રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે 151 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓ કરશે જે આ ઝીરો બેઝ્ડ ટાઇમટેબલનો ભાગ હશે.
શું છે રેલ્વેનો નવો પ્લાન?
રેલ્વે પોતાના સંચાલન માટે કેટલાક નવા પ્લાન તૈયાર કરી રહ્યું છે.
ઝીરો બેઝ્ડ પર આધારીત તમામ ટ્રેનો માટે એક નવું ટાઇમ ટેબલ બનાવાશે.
તમામ યાત્રી ટ્રેનનું ટાઇમ ટેબલ અને ફીક્વન્સી ફરી એકવાર નક્કી કરાશે.
રેલ્વે મેલ,એક્સપ્રેસ, અને કેટલીક અન્ય ટ્રેનોના સ્ટોપેજ ઓછા કરાશે.
કોરોના વાયરસના કારણે આ નિર્ણયને અમલમાં લાવવામાં વિલંબ.
અન્ય કેટલીક એક્સપ્રેસ અને મેલ ટ્રેનના સ્ટોપેજ બાદમાં નક્કી કરાશે.
સ્ટોપેજ નક્કી કરતા પહેલા સ્ટેશનનું આંકલન કરાશે.
જે સ્ટેશનો પર ટ્રેન રોકાવાની નથી ત્યાં કેટલા યાત્રીઓની અવરજવર છે તે જોવાશે.
ટ્રેન સ્ટોપેજને ઓછા કરવામાં આવે તો યાત્રીઓનો સમય બચશે.