થોડો સમય પહેલા એક ગીત ખૂબ જાણીતું બન્યું હતું કે, જાના થા જાપાન ઓર પહોંચ ગયે ચીન. આવી જ એક ઘટના મુંબઇથી ગોરખપુર રવાના થયેલી એક શ્રમિક સ્પેશિયલ ટ્રેનની સાથે બની હતી. ટ્રેનને જવાનું હતું ગોરખપુર પરંતુ તે ઓડિસાના રાઉરકેલા પહોંચી હતી. એટલે કે, મુંબઇથી રવાના થઇને વસઇ રોડ- ગોરખપુર ટ્રેનમાં સફર કરી રહેલા પ્રવાસીઓને કારણ વગરની મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં બની વિચિત્ર ઘટના
મુંબઇથી ગોરખપુર જવા નીકળેલી ટ્રેન પહોંચી ઓડિશા
ભારે ટ્રાફિક હોવાનું કહી રેલવેએ રૂટ બદલ્યો હોવાનો કર્યો ખુલાસો
નોંધનીય છે કે, 21 મેના રોજ મુંબઇથી ગોરખપુર માટે રવાના થયેલ આ ટ્રેનને શોર્ટેસ્ટ રૂટ પરથી પસાર થવાનું હતું પરંતુ રેલેવેએ તેનો રૂટ બદલીને લંબાવતા આ ટ્રેન 8 રાજ્યોમાંથી પસાર થઇને ઓડિસાના રાઉરકેલા પહોંચી હતી.
મામલો ગરમાતા રેલવેએ કરી સ્પષ્ટતા
પશ્ચિમ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 21 મેના રોજ રવાના થયેલ વસઇ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશિયલ ટ્રેનના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. નિવેદન પ્રમાણે ટ્રેનના વર્તમાન રૂટ પર ભારે ટ્રાફિકને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનને કલ્યાણ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, નૈની, દીન દયાળ ઉપાધ્યાય જંક્શન થઇ તે ગોરખપુર પહોંચવાની હતી. આ રૂટ પણ કાઇ ટૂંકો નહોંતો પણ તેમછતાં રેલવેએ રૂટ બદલ્યો અને સરવાળે ટ્રેને કેટલાય રાજ્યમાંથી પસાર થવું પડ્યું.
मुंबई के वसई रोड स्टेशन से गोरखपुर के लिए निकली श्रमिक ट्रेन, लेकिन पहुंच गई ओडिशा के राउरकेला। pic.twitter.com/va4k5tj1uN
રેલ્વેનું કહેવું છે કે ઇટારસી-જબલપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર રૂટ પર મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડતી હોવાને કારણે ભારે ટ્રાફિક રહે છે. તેથી રેલ્વે બોર્ડે હાલમાં વસઈ રોડ, સુરત, વલસાડ, અંકલેશ્વર, કોંકણ રેલ્વે અને મધ્ય રેલ્વેના કેટલાક સ્ટેશનોથી બિલાસપુર-ઝારસુગુડા-રૂરકેલા સુધીની ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
કેટલાય રાજ્યોમાંથી પસાર થઇને ગોરખપુર પહોંચી ટ્રેન
રેલવે તંત્ર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો રૂટ બદલી દેવામાં આવતા આ ટ્રેન મહારાષ્ટ્રથી શરૂ થઈને મધ્યપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ફરી ઝારખંડ અને ત્યારબાદ બિહાર થઇને ઉત્તર પ્રદેશ પહોંચી હતી.
આ ઘટનાને લઇને અધિકારીઓ પણ મૌન
રેલ્વેના કોઈ પણ અધિકારી આ ઘટના વિશે કંઈ કહેવા તૈયાર નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે રેલવે તેની ભૂલ છુપાવવા માટે બહાનું બનાવી રહી છે. લોકડાઉનને કારણે દેશમાં રેલવે સેવા સ્થગિત કરવામાં આવી છે. દરરોજ સરેરાશ, 11000 ટ્રેનો દોડે છે, જ્યારે હાલમાં ફક્ત કેટલીક સો ટ્રેનો દોડી રહી છે. તેથી, કોઈપણ માર્ગ પર ટ્રાફિકનો પ્રશ્ન નથી.