રેલવેની નવી ગાઇડલાઇન્સમાં દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોનું વિશેષ ધ્યાન રાખવાની વાત પર ભાર મૂક્યો છે. વૃદ્ધ દંપતિ સાથે કરવામાં આવેલુ વર્તન રેલવે ડિપાર્ટમેન્ટને ભારે પડ્યુ છે.
રેલવેએ આપવુ પડશે દંપતિને વળતર
વૃદ્ધ દંપતિ સાથે રેલવેનો અમાનવીય વ્યવહાર
નવી ગાઇડલાઇન્સ પ્રમાણે કરવુ પડશે વર્તન
નવી ગાઇડલાઇન્સ શું કહે છે
રેલવેની નવી ગાઇડલાઇન્સ પ્રમાણે દિવ્યાંગ અને વદ્ધ મુસાફરોને જે તે સ્ટેશન પર ઉતરવુ છે તેના પહેલા સતર્ક કરવાની વાત પણ છે. ઘણી વાર રેલવેના આ નિયમોને કર્મચારીઓ અવગણતા હોય છે. આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યાં રેલવે કર્મચારીઓએ બેદરકારી રાખી અને એક દિવ્યાંગ વૃદ્ધ દંપતિને લોઅર બર્થ ન આપવા તેમજ ડેસ્ટિનેશન કરતા 100 કિમી પહેલા ઉતારી દેવાના કારણે રેલવે વિભાગે 3 લાખ રૂપિયા તે દંપતિને આપવા પડશે.
રાષ્ટ્રીય આયોગે કહ્યું કે ફોરમે દરેક પ્રકારનો વિચાર કર્યા બાદ આ નિર્ણય કર્યો છે. રાજ્ય આયોગે પણ આ નિર્ણયને યોગ્ય ઠરાવ્યો છે.
શું હતો મામલો
રેલવેની બેદરકારીનો આ કિસ્સો કર્ણાટકનો છે. 4 સપ્ટેમ્બર 2010ના રોજ એક વૃદ્ધ દંપતિ સોલાપુરથી બિરુર જવા માટે થર્ડ એસીમાં દિવ્યાંગ કોટામાંથી આરક્ષિત કરાવેલી સીટ પર બેસવાના હતા પરંતુ તેમને લોઅર બર્થ ન મળ્યો. દંપતિએ લોઅર બર્થ આપવાનો ટીટીને આગ્રહ કર્યો હતો પરંતુ ટીટીએ લોઅર બર્થ આપી ન હતી. બાદમાં એક લાગણીશીલ મુસાફરે તેની સીટ દંપતિને આપી હતી. સીટ ન મળી ત્યાં સુધી તેમણે સીટ પાસે નીચે જમીન પર બેસીને યાત્રા કરી હતી.
ડેસ્ટિનેશન કરતા 100 કિમી આગળ ઉતારી દીધા
માત્ર આટલી જ વાત નહી પરંતુ જે સ્ટેશન પર તેમને ઉતરવાનુ હતુ તેના કરતા 100 કિમી આગળના સ્ટેશને તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. અરજીમાં તે પણ કહેવામાં આવ્યુ છે કે ટ્રેનમાં 6 લોઅર બર્થ ખાલી હોવા છતાં ટીટીએ તેમને બર્થ આપવાથી ઇન્કાર કરી દીધો હતો.
ઠંડીમાં સ્ટેશન પર રાહ જોતો હતો દિકરો
વૃદ્ધ દંપતિનો દિકરો ચિકજાજુર સ્ટેશન લેવા આવ્યો હતો અને ઠંડીમાં તેને ઘણો સમય બેસી રહેવુ પડ્યુ હતુ. તેમણે રેલવેની આ બેદરકારી પર કમ્પનશેશન માંગ્યુ હતુ અને 302000 રૂપિયા આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
National Consumer Disputes Redressal Commissionને રેલવેની અરજી રદ્દ કરી
આ વાત પર જ્યારે રેલવેએ અરજી કરી ત્યારે ડિપાર્ટમેન્ટે અરજીને રદ્દ કરી દીધી હતી. ફોરમનો નિર્ણય વૃદ્ધ દંપતિના ફેવરમાં જ ગયો હતો.