ભારતીય રેલવે દ્વારા દક્ષિણ મધ્ય ઝોનને આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલુ સ્ટેશ પર પહેલી લાંબી લૂપ લાઇન ચાલુ કરી છે. આ લાઇન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમવાળા રુટ પર છે. ભારતીય રેલવે દ્વારા ટ્રાફિકને હળવો કરવા આ યોજનાની પહેલ કરી છે.
લૂપ લાઇન્સ શું હોય છે ?
રેલવેમાં લૂપ લાઇનનું નિર્માણ એટલા માટે કરવામાં આવે છે કે કારણ કે સ્ટેશન પર સૌથી વધારે ટ્રેનોને ઉભી રાખી શકાય. આ સિવાય લૂપ લાઇન્સની મદદથી ટ્રેનના સંચાલનને આસાન કરી શકાય છે. સામાન્ય રીતે આ લૂપ લાઇન્સની લંબાઇ 750 મીટર હોય છે, જે એન્જીનની સાથે એક સંપૂર્ણ લાંબી ટ્રેન જેટલી હોય છે.
વધતી માગ અને ટ્રેનોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઇને ભારતીય રેલવે દ્વારા અંદાજે લગભગ 1,500 મીટર લાંબી લૂપ લાઇન બનાવાની તૈયારીમાં છે.
લાંબી લૂપ લાઇન બનાવથી શું ફાયદા
લૂપ લાઇન જય કિસાન જેટલી લાંબા સફરની ટ્રેન માટે અનૂકૂળ થશે, જ્યાં બે માલગાડીઓને જોડવામાં આવે છે.
માલગાડીઓને મુખ્ય રેગ્યુલર લાઇનથી હટાવીને પેસેંજર ટ્રેનના સમયમાં સુધાર કરી શકાશે.
માલગાડીઓ વધારે રોકાણના બદલે ટ્રેનોને ઝડપથી ચલાવા માટે આ પ્રભાવી રહેશે.
બધી ટ્રેનોના સંચાલનમાં સુધાર આવશે
વધારેમાં વધારે સંખ્યામાં ટ્રેનોનો ઉભી રાખવાની વ્યવસ્થા થઇ શકશે.
રેલવે મંત્રાલય દ્વારા પહેલા જ 6 સ્ટેશન પર લાંબી લૂપ લાઇનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જ્યારે બિક્કાવોલૂ સ્ટેશન પર નિર્માણ કાર્ય શરૂ થઇ ગયુ અને ડેડલાઇન પહેલા જ ત્યાં લૂપ લાઇન તૈયાર થઇ ગઇ છે. બિક્કાવોલૂ સ્ટેશન પર લૂપ લાઇનનું નિર્માણ કાર્ય પેસેંજર ટ્રેનને સંચાલનને કોઇ બાધિત વગર કરવામાં આવશે.