બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Rail operations in Saurashtra were affected due to double track operation
Khyati
Last Updated: 11:44 AM, 28 June 2022
સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ - સુરેન્દ્રનગર સેકશનમાં ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે.
4 ટ્રેનો રદ: સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર
રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે જામનગર - વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ - રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે.
આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા
આંશિક રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા - ભાવનગર, સોમનાથ - અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ , હાપા - મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર - બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા - વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા - રાજકોટ, તુતીકોરીન - ઓખા વિવેક એકસપ્રેસ, હાપા - મડગાંવ અને ઓખા - પુરી અને ગોરખપુર - ઓખા, જામનગર - તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news