જામનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે.કેરીના ગોડાઉનમાં કાર્બાઈડથી કેરી પકાવવામાં આવતી હતી.જેની જાણ આરોગ્ય વિભાગના અધિકારીઓને થતા અધિકારીઓએ ગોડાઉન પર દરોડા પાડયા હતા.આ દરમિયાન 700 કિલો કાર્બાઈડથી પકાવવામાં આવતી કેરી મળી આવી હતી.ત્યાર બાદ અધિકારીઓએ આખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ કેરીની સિઝન પૂરજોશમાં ખીલી ઉઠી છે.ત્યારે અરવલ્લીના મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કેરીના વેપારીઓ સામે લાલઆંખ કરી છે. મોડાસા શહેરમાં કેરીના 5 ગોડાઉનોમાં તપાસ હાથ ધરાઈ હતી.. કાર્બાઈડથી પકવેલી 1200 કિલો કેરી ઝડપાઈ હતી. અને આરોગ્યની ટીમે 1200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો નાશ કર્યો હતો.અને તમામ વેપારીઓને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને લોકો કેરી ખાવાનું વધારે પ્રમાણમાં પસંદ કરતા હોય છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કેરીના કેટલાક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને કાર્બાઇડથી પકવેલી કેરીઓ પકડી હતી.