કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાને ગંભીરપ નુકસાન પહોંચાડ્યું અને દેશને નબળો પાડ્યો, જેના લીધે ચીન હવે દેશની અંદર ઘૂસવાની હિંમત કરી શકે છે.
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સૌથી મોટો આરોપ
પીએમ મોદીએ જ એરસ્ટ્રાઈકની જાણકારી અર્ણબને આપી : રાહુલ ગાંધી
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવા એકમાત્ર વ્યક્તિ છે કે જેના દ્વારા બાલાકોટ એર સ્ટ્રાઈક પહેલા 'રિપબ્લિક ટીવી'ના અર્ણબ ગોસ્વામીને જાણકારી મળી. જો કે, આ અંગે પોતાના દાવા અંગે તેમણે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. હાલમાં આ દાવા અંગે વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં નથી આવી.
માત્ર પાંચ લોકોને જ હોય છે આવી જાણકારી: રાહુલ ગાંધી
તામિલનાડુમાં એક રોડ શો દરમિયાન કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સહિત ફક્ત પાંચ લોકોને જ પહેલાથી કોઈ સૈન્ય કાર્યવાહી અંગેની માહિતી હોય છે, તેમણે અર્ણબની કથિત વ્હોટ્સએપ ચેટને ટાંકીને કહ્યું કે, થોડા દિવસો પહેલા એવી માહિતી બહાર આવી હતી કે બાલાકોટમાં હવાઈ હુમલા અંગે એક પત્રકારને પહેલેથી જ ખબર હતી. પાકિસ્તાનમાં ભારતીય વાયુસેના દ્વારા કાર્યવાહી થયાના ત્રણ દિવસ પહેલા જ એક પત્રકારને કહેવામાં આવ્યું હતું કે શું થવાનું છે.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, ફક્ત વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ પ્રધાન અને વાયુસેના ચીફ બાલાકોટ હવાઈ હુમલા અંગે વાકેફ હતા. તેમણે આરોપ લગાવ્યો, "બાલાકોટ એર સ્ટ્રાઈક કરતા પહેલા આ લોકો સિવાય કોઈને આની જાણકારી નહોતી." હવે હું સમજવા માંગું છું કે તપાસ કેમ શરૂ થઈ નથી, બાલાકોટની કાર્યવાહી પહેલા આ માહિતી કોણે એક પત્રકારને આપી હતી. કારણ એ છે કે આ પાંચ લોકોમાંથી જ કોઈએ આ જાણકારી બહાર પડી હોવી જોઈએ, આ પાંચમાંથી જ કોઈએ આપણી વાયુસેનાની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, "જો વડા પ્રધાને તે ન કર્યું હોય તો તે તપાસના આદેશ કેમ નથી આપી રહ્યા?" જરા વિચારો જો વડા પ્રધાન તપાસનો આદેશ આપી રહ્યા નથી, તો પછી ફક્ત એક જ કારણ છે કે તે પોતે જ એક વ્યક્તિ છે જેના દ્વારા આ માહિતી પત્રકાર સુધી પહોંચી હતી.
China is expanding its occupation into Indian territory.
Mr 56” hasn’t said the word ‘China’ for months. Maybe he can start by saying the word ‘China’.
ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું, "વડા પ્રધાને કહ્યું કે તેમની છાતી 56 ઇંચ છે. આજે ચીની સેના ભારતીય સરહદની અંદર બેઠી છે. તેઓએ હજારો કિલોમીટરની ભારતીય ભૂમિ આંચકી લીધી છે. આ પછી પણ, વડા પ્રધાનમાં ચીન વિશે એક શબ્દ કહેવાની હિંમત નથી કરી રહ્યા.