રાહુલ ગાંધી વારંવાર સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. આ પહેલા તેમણે કૃષિ બિલને ખેડૂત વિરોધી ગણાવી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ બિલ મિત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે છે. એ બાદ હવે શ્રમિક બિલ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યુ છે અને કહ્યું કે હવે શ્રમિકો પર વાર...
કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર
કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો બાદ હવે શ્રમિકો પર વાર કરાયો છે. ગરીબોનું શોષણ, મિત્રોનું પોષણ કરાઈ રહ્યું છે. આ જ છે બસ મોદીજીનું શાસન. ગઇકાલે સંસદે શ્રમ સુધારા બિલને મંજૂરી આપી છે. જેને અંતર્ગત રાહુલે આ પ્રકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવા કૃષિ બિલના વિરોધમાં રાહુલે ટ્વીટ કરી કહ્યું હતુ કે, 2014માં મોદીજીએ MSPને લઇ ચૂંટણી વાયદો કર્યો. સરકારે સ્વામિનાથન કમિશનવાળું MSPનો વાયદો કર્યો હતો. એ બાદ 2015માં મોદી સરકારે કોર્ટમાં કહ્યું,અમારાથી નહીં થાય. તેમજ રાહુલે કહ્યું કે 2020માં કાળો ખેડૂત કાયદો બનાવ્યો જેમાં મોદીજીની નિયત સાફ છે. કૃષિ વિરોધી નવો પ્રયાસ છે. ખેડૂતોને મૂળથી સાફ કરીને મૂડીવાદી મિત્રોનો ખુબ વિકાસ કરવાનો છે.
ત્યારે કૃષિ બિલ મુદ્દે કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે વિપક્ષ પર કર્યો પલટવાર કર્યો છે. જેમાં તોમરે કહ્યું છે કે વિપક્ષ પોતાના ફાયદા માટે ખેડૂતોને ભ્રમિત કરી રહ્યું છે. મનમોહનસિંહ-શરદ પવાર સુધારો લાવવા ઇચ્છતા હતા. કેટલાક લોકોના દબાણથી મનમોહનસિંહ સુધારા ન કરી શક્યા.