મહામારી દરમિયાન સતત મોદી સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ફરી એક વાર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.
વેકસીનેશનના ગ્રાફ સાથે કરી ટ્વિટ
ગંગામાં મળેલ મૃતદેહ પર પણ કરી હતી ટ્વિટ
પી. ચિદમ્બરમ પણ કેન્દ્ર પર બગડ્યા
વેકસીનેશનના ગ્રાફ સાથે કરી ટ્વિટ
કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મહામારી દરમ્યાન સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવતા રાહુલે આ વખતે વેકસીનેશનને લઈ સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે વેકસીનેશન જ આ મહામારીથી બચવાની ચાવી છે, પણ સરકારને આ વિશે કોઈ ચિંતા જ નથી.
તેમણે પોતાની ટ્વિટ સાથે એક ગ્રાફ પણ શેર કર્યો હતો, જેમાં તેમણે દરરોજ રસીકરણની સંખ્યામાં થઈ રહેલ ઘટાડાને દર્શાવ્યો છે. આ ગ્રાફ 1 એપ્રિલથી 20 ને સુધીનો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસીકરણમાં સતત ઘટડો જોવા મળી રહ્યો છે.
Vaccination is the key to controlling the pandemic but GOI doesn’t seem to care. pic.twitter.com/iazLYEXHY3
ગંગામાં મળેલ મૃતદેહ પર પણ કરી હતી ટ્વિટ
આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ ગંગામાં મળી રહેલા મૃતદેહોને લઈ કેન્દ્ર પર વાર કર્યા હતા. તેમણે એ ટ્વિટમાં લખ્યું હતું કે "મને મૃતદેહોના ફોટા વિશે કઈ કહેવાની જરૂર નથી, દેશ વિદેશના લોકો એ ફોટા જોઈને દુખી છે પણ જેમણે મજબૂરીમાં આવી પોતાના સ્વજનોના મૃતદેહો ગંગામાં મૂકી દીધા છે તે લોકોનું પણ દુખ સમજવું જરૂરી છે. એમાં વાંક એ લોકોનો છે જ નહીં. આ જવાબદારી પણ માત્ર સરકારની જ હતી.
પી. ચિદમ્બરમ પણ કેન્દ્ર પર બગડ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ પણ બગડ્યા અને ટ્વિટ કરતાં લખ્યું કે "સમાચારો મુજબ, એવું દેખાઈ રહ્યું છે કે ભારતના કેટલાય જિલ્લાઓમાં વ્યાવહારિક રીતે કોઈ રસીકરણ ચાલી જ નથી રહ્યું અને આમ પણ જિલ્લા મુજબ આંકડાઓ પ્રકાશિત નથી થઈ રહ્યા. સરકારના આ વલણનો શિકાર એ લોકો થઈ રહ્યા છે જે લોકો વેક્સિન લેવા માટે રાહ જોઈને બેઠા છે."