બિહાર ચૂંટણી અને અન્ય રાજ્યોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય વચ્ચે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મિત્રો સાથે આજથી રાજસ્થાનના જેસલમેરમાં રજાઓ માણવા પહોંચવાના હતા. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ રદ્દ કરાયો છે.
બિહાર સહિત અન્ય રાજ્યોની ચૂંટણી-પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધોવાણ વચ્ચે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી પોતાના મિત્રો સાથે રજાઓ માણવા જેસલમેર પહોંચવાનો કાર્યક્રમ હતો.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાહુલ ગાંધીનો જેસલમેરનો કાર્યક્રમ અચાનક રદ્દ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કાર્યક્રમ રદ્દ કરવાને લઇને કોઇ ખુલાસો સામે આવ્યો નથી. પરંતુ રાહુલ ગાંધીના પ્રવાસના રદ્દ થવા અંગેની જાણકારી જિલ્લા તંત્ર, પોલીસ પ્રશાસન તેમજ અન્ય એજન્સીઓની સાથે કોંગ્રેસના નેતાઓને મળી છે.
જેસલમેરમાં રાહુલ ગાંધી 2 દિવસ રોકવાના હતા. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર 10 લોકોના વીઆઇપી મૂવમેંટની તૈયારી કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી એક દિવસ સૂર્યગઢ ફોર્ટમાં રોકાવાના હતા અને બીજા દિવસે રેગિસ્તાનમાં ટેંટમાં રોકાવાનો કાર્યક્રમ અંગે જાણકારી મળી હતી.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 2 દિવસના બિન સત્તાવાર મુલાકાત માટે ખાનગી વિમાનથી જેસલમેર પહોંચશે તેવી જાણકારી પ્રાપ્ત થઇ હતી. તેઓનો પ્રવાસ ખાનગી રાખવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી એક રાત્રી ટેંટમાં રોકાશે તેવી પણ શક્યતા હતી
રાહુલ ગાંધીની યાત્રાની તૈયારીઓ શરુ થઇ ગઇ હતી અને તેઓની CRPF સિક્યોરિટી જેસલમેર પહોંચી ગઇ હોવા અંગે જાણકારી મળી હતી.. જો કે સ્થાનિક નેતાઓને રાહુલ ગાંધીનું સ્વાગત કરવાને લઇને મનાઇ કરવામાં આવી હતી.