ચીન સરહદ પર ભારતના 20 જવાન શહીદ થવાને લઇને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે?
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર
ચીન સાથે શું થયું ? ચુપ કેમ છે PM?
Why is the PM silent?
Why is he hiding?
Enough is enough. We need to know what has happened.
How dare China kill our soldiers?
How dare they take our land?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિરના માધ્યમથી લખ્યું કે ચીનના સૈનિકોએ આપણા સૈનિકોને મારી કેવી રીતે દીધા? ચીનની હિંમત કેવી રીતે થઇ કે આપણી જમીનને પચાવી પાડી.
કેન્દ્ર સરકાર પર વિપક્ષોએ ચીનના તણાવ મુદ્દે કર્યો હુમલો
ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવને લઇને અથડામણમાં 20 જવાન શહીદ થયા બાદ દેશભરની જનતામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. વિપક્ષ પાર્ટીઓ પણ સતત સરકારને સવાલ કરી રહી છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ સરકાર આકરા પ્રહાર કર્યાં છે. મહુવાએ કહ્યું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ચીન, પાકિસ્તાન અને નેપાળ સરહદ પર લોકોના જીવ જઇ રહ્યાં છે. જો સવાલ પુછવામાં આવે તો એન્ટી નેશનલ કહી દેવામાં આવે છે.