નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનુ બ્યૂગલ ફૂંકશે. ભોપાલમાં રાહુલ ગાંધી એક વિશાળ રોડ શો કરશે અને કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે. ત્યારે રાહુલ ગાંધી આવે એ પહેલાં ભોપાલમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લાગ્યા છે. જે વિવાદમાં સપડાયા છે.
ભોપાલમાં કેટલીય જગ્યાએ રાહુલ ગાંધીને શિવભત ગણાવતા પોસ્ટર લાગ્યા છે. જેમાં તેઓ શિવલિંગ પર જળ ચઢાવતા નજરે પડી રહ્યા છે.
Madhya Pradesh: Posters and cutouts of Congress President Rahul Gandhi and other party leaders seen in Bhopal ahead of his roadshow in the city today pic.twitter.com/3sjkEkgd55
મહત્વની વાત એ છે કે પોસ્ટર અને કટઆઉટમાં એક વિવાદ સર્જાયો છે. આ પોસ્ટરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનું કટઆઉટ ગાયબ છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે નેતૃત્વ દર્શાવવાની જંગ ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે પણ વિવાદ થાય એવું ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઇએ કે રાહુલ ગાંધી પ્રદેશ ભરથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓથી લગભગ દોઢ કલાક સુધી સંવાદ કરશે ત્યારબાદ લાલઘાટી ચાર રસ્તાથી બીએચઇએલ દશેરા મેદાન સુધી સંકલ્પ યાત્રામાં સામેલ થશે.