પાંચ રાજ્યોમાં ચૂંટણી હાર બાદ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક મળી હતી. ચૂંટણીમાં થયેલી હાર પર ચર્ચા થઇ ને સાથે-સાથે પાર્ટી સામે શું પડકારો છે તેને લગતી પણ ચર્ચા કરવામાં આવી. તદુપરાંત વધુમાં જણાવ્યું કે, 'જો પાર્ટી સારી એવી રણનીતિ સાથે આગળ વધે છે તો આવનારી ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવી શકાય.'
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ગુજરાતમાં ભાજપને હરાવી શકાય'
કોંગ્રેસ પાર્ટી ભવિષ્યમાં યુવાનો પર ફોકસ કરશે, બેઠકમાં ઉઠ્યો મુદ્દો
રાહુલ ગાંધીએ પોતાની આગવી શૈલીમાં નારાજ નેતાઓના જૂથ પર નિશાન સાધ્યું
CWCની બેઠકમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'પાર્ટી ભવિષ્યમાં યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. દેશની ડેમોગ્રાફિક પ્રોફાઈલ ઓફ ધ કન્ટ્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'આ તે રસ્તો છે કે જેની પર પાર્ટીએ સતત આગળ વધવું જોઈએ. રાહુલ ગાંધીની આ ટિપ્પણીને પાર્ટીની અંદરના અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથના કટાક્ષ તરીકે પણ જોવામાં આવી રહી છે કે જેઓ પાર્ટીના ટોચના નેતૃત્વ પર સતત દબાણ બનાવી રહ્યાં છે.'
....તો આવનારી ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવી શકાય
પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ મુદ્દો ઉઠાવ્યો અને યુવા પરિબળને ટાંકીને કહ્યું કે, પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે આ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. બેઠકમાં ચર્ચા પાંચ રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં પાર્ટીની થયેલી હારની આસપાસ ફરતી રહી. જયરામ રમેશની વાત પર પ્રતિક્રિયા આપતા AICCના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, પાર્ટીએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 45 વર્ષથી ઓછી ઉંમરના પુરુષો અને મહિલાઓને 60% ટિકિટ આપી છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર રાહુલ ગાંધી જયરામ રમેશની દલીલ સાથે સહમત થયા અને કહ્યું કે, ભવિષ્યમાં યુવાનો પર ફોકસ કરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું કે, જો પાર્ટી સારી રણનીતિ સાથે આગળ વધશે તો આવનારી ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવી શકાય.
રાહુલ ગાંધીએ જે કહ્યું તેના સંદર્ભમાં CWCની અંદર જ તેને અલગ-અલગ રીતે લેવામાં આવી રહ્યું છે. એક તરફ ગાંધી પરિવારના નજીકના નેતાઓનું માનવું છે કે, આ જ વાસ્તવિક પડકાર છે કે જેને રાહુલ ગાંધી તરફથી ઉઠાવવામાં આવ્યો. તેમજ કેટલાંક નેતાઓને એવું લાગે છે કે, આ G-23 ના નેતાઓ પર કટાક્ષ હતો.
રાહુલ ગાંધીએ કેવી રીતે G-23 નાં નેતાઓ પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવેલી વાત એક તરફથી G23 ના નેતાઓની ચિંતા અને સૂચનોનું એક પ્રકારે ખંડન જ હતું. પાર્ટીની અંદર અસંતુષ્ટ નેતાઓના ગ્રુપ પર રાહુલ ગાંધીની આ વાતને સીધા હુમલા તરીકે જોવામાં આવી રહી છે. આ ગ્રુપના અનેક સભ્ય વધારે ઉંમરના છે અને કોઇને કોઇ રીતે ઇશારો પણ તેમની તરફ જ હતો. અથવા તો એમ પણ કહી શકાય કે રાહુલ ગાંધીનો આ સીધો હુમલો એ જ નેતાઓ પર હતો.
બેઠકમાં ગાંધી પરિવારે જે દલીલ કરી તેનાથી વિપરીત, CWCમાં G-23 સભ્યોએ પક્ષની નેતૃત્વ શૈલી અને પરામર્શ અને વિચારણા વિના લીધેલા નિર્ણયોનો મુદ્દો ઉઠાવ્યો. તેમાં એ જ મુદ્દા હતા કે જે તેમણે વર્ષ 2020 માં સોનિયા ગાંધીને લખેલા વિવાદાસ્પદ પત્રમાં ઉઠાવ્યા હતાં. આ બેઠકમાં કેટલાંક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું કે, તેઓએ હજુ વધારે સુલભ થવું જોઈએ તેમજ નેતાઓ અને કાર્યકરોને નિયમિતપણે મળવાનું શરૂ કરી દેવું જોઇએ.