રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને તેનું નેતૃત્વ નથી કરી રહ્યા
કોંગ્રેસના અધ્યક્ષ બનવાના પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન
ચૂંટણીની પ્રક્રિયા પૂરી થશે, ત્યારે ખબર પડશે હું અધ્યક્ષ બની રહ્યો છું કે નહીં: રાહુલ ગાંધી
જો હું નોમિનેશન નહીં કરું તો તમે સવાલ પૂછી શકો છો: રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા પર છે અને આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે મુલાકાતના બીજા દિવસે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી અંગે પણ વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષના સવાલ પર રાહુલે કહ્યું, જ્યારે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થશે, ત્યારે તમને ખબર પડશે કે હું અધ્યક્ષ બની રહ્યો છું કે નહીં. જો હું નોમિનેશન નહીં કરું તો તમે સવાલ પૂછી શકો છો.
આ સાથે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મેં નક્કી કર્યું છે કે શું કરવું. મને એમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ તેના પ્રમોશનની પ્રારંભિક પ્રક્રિયા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને તેના બે દિવસ બાદ પરિણામ આવશે. આ માટે નોમિનેશનની તારીખ 24 થી 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.
Whether I become president (of Congress) or not will become clear when the elections for the president post take place...I have very clearly decided what I will do, there is no confusion in my mind: Congress MP Rahul Gandhi, in Tamil Nadu pic.twitter.com/wPFFlgf02R
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને તેનું નેતૃત્વ નથી કરી રહ્યા. તેમણે એમ પણ કહ્યું કે, આ યાત્રાથી કોંગ્રેસને નુકસાન નહીં પરંતુ ફાયદો જ થશે. આ સિવાય તેમણે ફરી એકવાર કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તેમનો મત એકદમ સ્પષ્ટ છે, તેમાં કોઈ મૂંઝવણ નથી. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસને દેશની જમીની વાસ્તવિકતા સમજવાની જરૂર છે, જેના માટે આ મુલાકાત જરૂરી છે.
ભારત જોડો યાત્રા શા માટે જરૂરી છે તેવા પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, શું લોકો સંવાદિતા સાથે જીવી રહ્યા છે. ધર્મ, રાજ્ય અને ભાષાના આધારે વિભાજન થાય છે. કેટલાક લોકોને તમામ મિલકત આપવામાં આવી રહી છે. ભારત... લોકો વચ્ચેના સંવાદનું નામ છે, તેથી સંવાદ જરૂરી છે. આ મુલાકાત દરમ્યાન અમે લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છીએ.