ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ હેલ્થકેર વર્કર્સ અને સિનિયર સિટીઝન્સને ડોક્ટરની સલાહથી પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી. જેના પગલે રાહુલ ગાંધીનું આજે નિવેદન આવ્યું છે.
બુસ્ટર ડોઝના નિર્ણય બાદ રાહલ ગાંધીએ યશ લીધો
આવકારદાયક પગલુ, કેન્દ્ર સરકારે મારી વાત માની લીધી
10 જાન્યુઆરીથી પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરની રાત્રે 10 જાન્યુઆરીથી આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને રસીના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે.
કેન્દ્ર સરકારે મારી વાત માની લીધી
આમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝના મારા સૂચનને સ્વીકાર્યું છે - આ એક યોગ્ય પગલું છે. રસી અને બૂસ્ટરની સુરક્ષા દેશના લોકો સુધી પહોંચાડવી પડશે.
પીએમ મોદીએ વેક્સીનેશનનો સમગ્ર રોડમેપ રજૂ કર્યો છે. તેમણે જાહેરાત કરી કે આગમચેતીની દ્રષ્ટિથી સરકારે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો બુસ્ટર ડોઝ(પ્રીકૉશન ડોઝ) આપવાનો નિર્ણય લીધો છે. જેની શરૂઆત 2022માં 10 જાન્યુઆરી સોમવારના દિવસથી કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા સૌનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ છે, આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાના બહુ સમય વિતાવે છે.
10 જાન્યુઆરીથી કો-મૉરબિડિટીવાળા નાગરિકોને પણ અપાશે પ્રીકૉશન ડોઝ
પીએમ મોદીએ કહ્યું કે, 60 વર્ષથી ઉપરની ઉંમરના કો-મૉરબિડિટીવાળા નાગરિકોને તેમના ડૉક્ટરની સલાહ પર વેક્સિનનો પ્રિકૉશન ડોઝનો વિકલ્પ ઉપલબ્ધ થશે. આ ઑપ્શન પણ 10 જાન્યુઆરીથી જ મળશે.
પ્રધાનમંત્રીએ બાળકોના વેક્સીનેશનનું પણ એલાન કર્યું છે. 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચેના બાળકોનું વેક્સીનેશન શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે, 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચે જે બાળકો છે, તેમના માટે હવે દેશમાં વેક્સીનેશનની શરૂઆત થશે. આગામી વર્ષ એટલે 2022માં 3 જાન્યુઆરીએ સોમવારના દિવસથી આની શરૂઆત થઇ જશે.
દેશના 61 ટકા લોકોને વેક્સિનના બન્ને જોઢ લાગી ચૂક્યાઃ પીએમ મોદી
PM મોદીનુ દેશને સંબોધન કરતા કહ્યું કે વિશ્વમાં અને ભારતમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. નવા વર્ષની ઉજવણીમાં લોકો કોવિડના નિયમો ભુલી રહ્યા છે. ઉજવણીની સાથે લોકોએ સચેત રહેવું જોઈએ. દેશમાં 3 હજારથી PSA ઓક્સિજન પ્લાન્ટ અને 1 લાખથી વધુ ICU બેડની સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં વેક્સિનના 141 કરોડના ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. દેશમાં 61 ટકા લોકોને બન્ને ડોઝ અને 90 ટકા લોકોને એક ડોઝ લગાવી ચુક્યા છે.