નવા કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પણ કોઈ શરત નહીં માને. ત્યારે આ આંદોલનને વિપક્ષ પાર્ટીઓનું પુરુ સમર્થન પ્રાપ્ત છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે સરકારે ખેડૂતોનું સાંભળવું જોઈએ.
અમારી માંગ છે કે સરકાર કૃષિ કાયદાને પાછા લે
તે ભૂલી ગયા તે ખેડૂત અવાજ ઉઠાવે છે તો તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે
તેમણે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેન હેશટેગનો ઉપયોગ કર્યો
તે ભૂલી ગયા તે ખેડૂત અવાજ ઉઠાવે છે તો તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે
વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કરી કહ્યું કે મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યા છે. પહેલા કાળા કાયદા પછી ડંડા ચલાવ્યા પરંતુ તે ભૂલી ગયા તે ખેડૂત અવાજ ઉઠાવે છે તો તેનો અવાજ આખા દેશમાં ગૂંજે છે. ખેડૂત ભાઈ બહેનોની સાથે થઈ રહેલા શોષણ વિરુદ્ધ તમે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેઈનના માધ્યમથી જોડાવ.
मोदी सरकार ने किसान पर अत्याचार किए- पहले काले क़ानून फिर चलाए डंडे लेकिन वो भूल गए कि जब किसान आवाज़ उठाता है तो उसकी आवाज़ पूरे देश में गूंजती है।
તેમણે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેન હેશટેગનો ઉપયોગ કર્યો
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે નામ ખેડૂત કાયદો પરંતુ ફાયદો અરબોપતિ મિત્રોનો. ખેડૂત કાયદો ખેડૂતો સાથે વાત કર્યા વગર કેવી રીતે બનાવી શકો? તેમાં ખેડૂતોને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય? સરકારે ખેડૂતોની વાત સાંભળવી પડશે. આવો મળીને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવીએ. પોતાના ટ્વીટની સાથે તેમણે સ્પીક અપ ફોર ફાર્મર્સ કેમ્પેન હેશટેગનો ઉપયોગ કર્યો છે.
આ બહું ખતરનાક છે
આ પહેલા શનિવારે રાહુલ ગાધીએ એક તસ્વીર શેર કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તસ્વીરમાં જવાન વૃદ્ધ ખેડૂતને દંડો મારી રહ્યો છે. રાહુલ ગાંધીઓ ફોટો શેર કરતા લખ્યું કે, બહું દુઃખદ ફોટો છે. આપણું સૂત્ર છે જય જવાન જય કિશાન પરંતુ આજે પીએમ મોદીના અહંકારે જવાન અને કિશાનને સામ સામે વિરોધમાં ઉભા કરી દીધા છે. આ બહું ખતરનાક છે.
અમારી માંગ છે કે સરકાર કૃષિ કાયદાને પાછા લે.
ત્યારે અખિલ ભારતીય ખેડૂત સંઘના સમન્વય સમિતિના પ્રતિનિધિયોએ કહ્યું કે સરકાર ખેડૂતોની માંગોને લઈને ગંભીર છે તો તેમણે વાત કરવી જોઈએ. ભારતીય ખેડૂતો એકતાગૃહના અધ્યક્ષ જોગિન્દર સિંહે કહ્યું કે અમે બોર્ડરથી નહીં હટીએ. અમારી માંગ છે કે સરકાર કૃષિ કાયદાને પાછા લે. આનાથી ઓછું અમને જરાય ન ખપે.