રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ કરવામાં આવશે અને ચોકીદાર જેલમાં જશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં તેમના માટે 'ચોકીદાર ચોર છે' શબ્દનો ઉપયોગ સાર્વજનિક મંચ પર કરતા આવ્યાં છે.
રાફેલ વિમાન ડીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે એક પગલું આગળ વધથાં મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચૂંટણી પછી રાફેલ ડીલની તપાસ કરવામાં આવશે અને ચોકીદાર જેલમાં જશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં તેમના માટે 'ચોકીદાર ચોર છે' શબ્દનો ઉપયોગ સાર્વજનિક મંચ પર કરતા આવ્યાં છે. આમ રાહુલ ગાંધીએ હવે લોકસભા ચૂંટણીના ઠીક પહેલાં ચોકીદારને જેલમાં મોકલવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ આ નિવેદન ગુરૂવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો ચૂંટણી પછી તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી તો આ ડીલ અંગે તપાસ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલની ડીલમાં ફેરફાર કર્યો જેના કારણે તેની કિંમત વધી ગઇ. ચોકીદારને ચોર બતાવતાં રાહુલ ગાંધીએ એટલે સુધી કહી દીધુ કે ચૂંટણી બાદ આ અંગેની તપાસ શરૂ થશે અને ચોકીદાર જેલમાં હશે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાહુલ ગાંધી પત્રકાર પરીષદ અને ચૂંટણી જનસભામાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં ચોકીદારને ચોર જણાવતાં હતા. પરંતુ હવે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં માત્ર છ દિવસ બાકી છે, ત્યારે રાહુલ ગાંધીએ રાફેલ ડીલની તપાસ કરવા તેમજ ચોકીદારને જેલમાં મોકલવાની જાહેરાત કરતાં આ મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે.