ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)એ રેડિયેશન થેરેપી દ્વારા ચેપગ્રસ્ત ન્યુમોનિયાની અસર ઘટાડવા માટે સંશોધન શરૂ કર્યુ છે. આ દર્દીઓની સારવારમાં મદદ કરશે.
બે કોરોના દર્દીઓને રેડિયેશન થેરેપી આપવામાં આવી
દર્દીઓને લો ડોઝ રેડિયેશન થેરેપી આપવામાં આવી
ફક્ત 1940 સુધી ન્યુમોનિયાના ઉપચારમાં થતો હતો
એઈમ્સના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના વડા અને આ સંશોધન પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેૉર ડૉ. ડી.એન શર્માએ જણાવ્યું હતુ કે શનિવારે ઓક્સિજન સપોર્ટ પર રહેલા બે કોરોના દર્દીઓને રેડિયેશન થેરેપી આપવામાં આવી હતી.
આ બંને દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ છે. તેમને પહેલાં ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો હતો. જે હવે દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે કેન્સરની સારવાર માટે રેડિએશન થેરેપીનો હાઈ ડોઝ આપવામાં આવે છે. પરંતુ આ દર્દીઓને લો ડોઝ રેડિયેશન થેરેપી આપવામાં આવી હતી.
આ દર્દીઓ પર રેડિયેશન થેરેપીની કોઈ નકારાત્મક અસર પણ નહોતી જોવા મળી. ડૉ. શર્માએ ધ્યાન દોર્યુ હતું કે જ્યારે એન્ટિબાયોટિક્સ ઉપલબ્ધ ન હતા ત્યારે રેડિએશન થેરાપીનો ઉપયોગ ફક્ત 1940 સુધી ન્યુમોનિયાના ઉપચારમાં થતો હતો. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 8 કોરોના દર્દીઓની રેડિયેશન થેરેપી દ્વારા સારવાર કરવામાં આવશે. એ બાદ પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવશે.