ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતિયના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડન જશે. વિદેશ મંત્રાલયે આ પ્રકારની જાણકારી આપી છે કે, રાષ્ટ્રપતિ મુર્મૂ 17-19 સપ્ટેમ્બર સુધી બ્રિટેનના પ્રવાસે જશે. જ્યાં તેઓ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે અને ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરશે. બ્રિટેનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું હતું. જેમના અંતિમ સંસ્કાર લંડનમાં આવેલા વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 19 સપ્ટેમ્બરે થવાના છે. જ્યાં કેટલાય દેશોના રાષ્ટ્રપ્રમુખો પહોંચશે.
વિદેશ મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, મહારાણી એલિઝાબેથ દ્વિતિયના 70 વર્ષના શાસનકાળમાં ભારત બ્રિટેનના સંબંધિત વધારે વિકસિત થયા, ફુલ્યા ફાલ્યા અને મજબૂત થયા. તેમને રાષ્ટ્રમંડળના પ્રમુખ તરીકે દુનિયાભરના લોકોના કલ્યાણ માટે મહત્વની ભૂમિકા ભજવી.
મહારાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના 2000 મહેમાનો સામેલ થશે. જેમાં લગભગ 500 પ્રતિષ્ઠિત લોકો હાજર રહેશે. મહારાણીના અંતિમ સંસ્કાર ભારતીય સમયાનુસાર 3.30 કલાકે થશે. જે દેશો સાથે બ્રિટેન રાજદ્વારી સંબંધો ધરાવે છે, તેમના નેતાઓને અંતિમ સંસ્કારમાં બોલાવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પત્ની ઝિલ બાઈડેન સાથે મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા લંડન જશે.
દુનિયાભરના નેતાઓ પહોંચશે લંડન
આ ઉપરાંત કોમનવેલ્થ રાષ્ટ્રોના પ્રમુખ, જ્યાંની મહારાણી અધ્યક્ષ પણ હતા. તેઓ પણ સામેલ થવાની આશા છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડન 24 કલાકની મુસાફરી કરીને લંડન પહોંચશે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એંથની અલ્બનીસ પણ 19 સપ્ટેમ્બરે લંડન પહોંચશે. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કારમાં જશે કે નહીં તેને લઈને હાલમાં કોઈ પુષ્ટિ થઈ નથી. પણ રાષ્ટ્રપતિ જશે તેની પુષ્ટિ થઈ ગઈ છે.