તેલ ઉત્પાદક દેશોમાં સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) ને મોટો ઝટકો લાગ્યો છે. કતારે જાન્યુઆરી 2019થી ઓપેકથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
આ અંગેની જાણકારી કતારના ઉર્જા મંત્રીએ મીડિયાને જણાવી. તેમણે કહ્યું કે હવે કતર નેચરલ ગેસ પ્રોડકશન પર ધ્યાન કેન્દ્રિત કરશે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કતાર તેલનું ઉત્પાદન ચાલુ જ રાખશે.
કતારના ઉર્જા મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કતરે પોતાની ઓપેકમાંથી મેમ્બરશીપ પરત લેવાનો નિર્ણય લીધો છે જે જાન્યુઆરી-2019થી પ્રભાવિત થશે.
ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ એટલે કે ઓપેક પેટ્રોલિયમ ઉત્પાદક ૧૪ દેશોનું સંગઠન છે જેની સ્થાપના ૧૯૬૦માં થઇ હતી. કતાર હવે ઓપેકથી અલગ થઇ જવાથી ભારત પર કેવી અસર પડશે તે અંગે એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા જણાવાયું હતું કે હવે કતાર ભારત જેવા ઇમર્જિંગ માર્કેટ પર ફોકસ કરશે કે જ્યાં ક્રૂડ અને કુદરતી વાયુનો સૌથી વધુ વપરાશ થાય છે.
નેચરલ ગેસ ક્રૂડથી સસ્તો છે અને આ સંજોગોમાં ભારત માટે એક મોટી તક ઉપલબ્ધ બનશે કે તે પોતાની ઇકોનોમીને ક્રૂડના બદલે નેચરલ ગેસ તરફ શિફ્ટ કરે. ભારતમાં જોકે તેની શરૂઆત થઇ ચૂકી છે.
નેચરલ ગેસનો ભાવ અત્યારે પ્રતિ એમએમબીટીયુ ચાર ડોલર છે જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૬૨ ડોલર છે. આથી ભારત હવે કતાર પાસેથી સસ્તા દરે નેચરલ ગેસ ખરીદી શકશે.
કાસ કરનાર દેશ ૬૦ વર્ષ સુધી ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ (ઓપેક)માં રહ્યા બાદ હવે કતારે ઓપેકથી અલગ થઇ જવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય જાન્યુઆરીથી અમલી બની જશે. કતારે નેચરલ ગેસ ઉત્પાદનને વધારવાની પોતાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.