બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Punjab To Vote On Feb 20 Instead Of Feb 14, As Originally Scheduled

ચૂંટણી રણ / આખરે પંજાબ ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 20 ફેબ્રુઆરીએ મતદાન, જાણો ચૂંટણી પંચે કેમ નિર્ણય ફેરવ્યો

Hiralal

Last Updated: 02:50 PM, 17 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ અને સીએમ ચન્નીની માગ માની લેતા ચૂંટણી પંચે પંજાબ વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે.

  • ચૂંટણી પંચે પંજાબ ચૂંટણીની તારીખ બદલી
  • હવે 20 ફેબ્રુઆરીએ થશે એક તબક્કાનું મતદાન
  • પહેલા 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું
  • તમામ પક્ષોએ મતદાનની તારીખ બદલવાની કરી હતી અપીલ
  • સંત રવિદાસ જંયતિના માનમાં ચૂંટણી પંચે તારીખ બદલી 

ચૂંટણી પંચે પંજાબ વિધાનસભાની ચૂંટણીની તારીખ બદલી નાખી છે. પંજાબમાં પહેલા 14 ફેબ્રુઆરીએ  મતદાન થવાનું હતું પરંતુ હવે ચૂંટણી પંચે તેને બદલીને 20 ફેબ્રુઆરી કરી નાખી છે. સંત રવિદાસ જયંતી હોવાને કારણે લગભગ તમામ પક્ષોએ ચૂંટણીની તારીખ ફેરવવાની માગ કરી હતી જેને ચૂંટણી પંચે સ્વીકારી લીધી છે. સીએમ ચરણજીત સિંહ ચન્નીએ પણ ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાની અપીલ ચૂંટણી પંચને કરી હતી. 

ચૂંટણી પંચે કેમ તારીખ બદલી

14 ફેબ્રુઆરીએ સંત રોહિદાસ જયંતિ હોવાની પહેલા સીએમ ચન્ની અને ત્યાર બાદ ભાજપે પણ પંજાબ વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાનો પંચને અનુરોધ કર્યો હતો. આજે ચૂંટણી પંચે એક મોટી બેઠક યોજી હતી અને તેમાં મતદાનની તારીખ બદલવાનો નિર્ણય લીધો હતો. પહેલા 14 ફેબ્રુઆરીએ પંજાબમાં એક તબક્કામાં મતદાન થવાનું હતું પરંતુ હવે પંચે રાજકીય પક્ષોની આ માગ સ્વીકારી લઈને 20 ફેબ્રુઆરીએ એક તબક્કાના મતદાનનો નિર્ણય કર્યો છે. 

સીએમ ચન્નીએ ચૂંટણીની તારીખ બદલવાની કરી હતી માગ

સીએમ ચન્ની બાદ ભાજપે પણ કરી હતી આવી માગ 
બે દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી પંચને પત્ર લખીને ચૂંટણીની તારીખ લંબાવવાની માંગ કરી હતી. તેમણે કમિશનને પત્ર લખ્યો છે કે 16 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રવિદાસ જયંતિ છે. સીએમ ચન્નીએ વિનંતી કરી છે કે ચૂંટણીની તારીખો 6 દિવસ માટે લંબાવવામાં આવે.

સીએમ ચન્ની બાદ ભાજપે પણ માંગ કરી હતી
આ પછી, રવિવારે ભાજપે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને પણ પત્ર લખીને ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરી હતી. ભાજપે રવિદાસ જયંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીએમ ચન્ની અને ભાજપે પત્રમાં લખ્યું છે કે, પંજાબમાં લગભગ 32 ટકા અનુસૂચિત જાતિના લોકો રહે છે. મોટાભાગના લોકો 10 થી 16 ફેબ્રુઆરી વચ્ચે યુપી જશે. જેના કારણે તે ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ જોતા મતદાન 5 થી 6 દિવસ લંબાવવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ