પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબિર સિંહ બદલ પર પલટવાર શરૂ કરી દીધા છે.
સિદ્ધુએ કર્યો પલટવાર
અકાલી દળના પ્રમુખ સુખબિર સિંહ બાદલને જવાબ
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કર્યું
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબિર સિંહ બદલ પર પલટવાર શરૂ કરી દીધા છે. સિદ્ધુએ કહ્યું હતું કે ડીજીપી સાથે મળીને પોલીસ પર દબાવ વધારવાની વાતને લઈને ચકમક આગળ વધી છે. તેમણે કહ્યું હતું કે જો આ વાત સાબિત થઈ જશે તો હું રાજનીતિ છોડી દઇશ!
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કર્યું
ટ્વિટ કરીને નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે જો બાદલ એ સાબિત કરી બતાવે કે મેં ક્યારેય પંજાબમાં નવા ડીજીપી સાથે બંધ બારણે કોઈ મિટિંગ કરી છે તો હું રાજનીતિ કાયમ માટે છોડી દઇશ. જેમણે 2015 માં શીખ યુવાનોને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લીધા હતા. બાદલને ક્લીનચિટ મળી હતી અને જો નવી સરકાર બન્યા બાદ પૂર્વ ડીજીપી સૈની વ્હાલા બની ગયા હતા.
I give my word of honor that I’ll leave Politics if @officeofssbadal can prove that I ever had any close door meeting with new DGP Punjab, who illegally detained innocent Sikh boys in 2015, gave clean chits to Badals & is blue eyed boy of Ex DGP Saini, since new govt was formed.
શિરોમણી અકાલી દળના પ્રમુખ બાદલે કહ્યું હતું કે સીએમ ચરણજીત સિંહે સિદ્ધુ અને ઉપમુખ્યમંત્રી સુખવીન્દર સિંહ રંધાવાને મળ્યા બાદ રાજ્ય ડીજીપીને અકાલી દળના સીનીયર નેતા બિક્ર્મ સિંહ મજીઠિયા વિરુદ્ધ ખોટો કેસ નો મામલો નોંધાવવાનો આદેશ આપ્યો છે જેથી તેઓની સરકારની નિષ્ફળતાઓથી ધ્યાન હટાવી શકાય અને અકાલીઓ વિરુદ્ધ રાજનૈતિક બદલો લઈ શકાય.
તેમણે કહ્યું હતું કે હું સીએમ ચન્નીને પડકાર આપું છું કે આ મામલે હાઇકોર્ટમાં હાજર જજ પાસે તપાસનો આદેશ આપવામાં આવે.
હરસીમરત કૌર બાદલના ભાઈ છે મજીઠિયા
બાદલે આશંકા વ્યક્ત કરી હતી કે બિક્ર્મ સિંહ મજીઠિયા પર આવનાર દિવસોમાં એક કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. નવજોત સિંહ સિદ્ધુ પોતાની જ સરકાર વિરુદ્ધ ભૂખ હડતાલ પર ઉતરનાર અને બીજી અનેક રીતે મજીઠિયા પર ગેર કાનૂની કાર્યવાહી કરાવીને તેમના પર દબાણ સર્જાય એવા પ્રયત્ન કરી રહ્યા છે.