આવતા મહિનાથી અનેક મોટા ફેરફારો આવશે જે સામાન્ય માણસને અસર કરશે. જેમાં Punjab National Bank પણ નિયમોમાં ફેરફાર કરી રહી છે.
આ બેંકના નવા અને જૂના ગ્રાહકો માટે જરૂરી સમાચાર
આવતા મહિનાથી થશે મોટા ફેરફાર
જાણો તમને કેવી રીતે કરશે અસર
જો તમે PNBના ખાતાધારક છો તો તમારા માટે જાણી લેવું જરૂરી છે કે આવતા મહિનાથી એટલે કે સપ્ટેમ્બરમાં બેંક તમને કયા મોટા ફેરફાર આપી શકે છે. દેશમાં સાર્વજનિક ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંકના ગ્રાહકોને આવતા મહિને ઝટકો લાગી શકે છે. બેંક 1 સપ્ટેમ્બરથી બચત ખાતામાં જમા વ્યાજ પર ઘટાડો કરવા જઈ રહી છે. PNBની સાઈટ પરથી મળતી માહિતિ અનુસાર બેંકના નવા વ્યાજ દર 2.90 ટકા હશે. જે હાલમાં 3 ટકાનો છે.
નવા અને જૂના બંને ગ્રાહકો પર થશે અસર
PNBના કહેવા અનુસાર નવા વ્યાજ દરે બેંકના હાલના અને નવા ખાતાધારકો પર લાગૂ કરાશે. પંજાબ નેશનલ બેંક દેશની બીજી મોટી સરકારી બેંક છે. પહેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે અને તેમાં બચત ખાતા પર 2.70 ટકા વ્યાજ મળી રહ્યું છે. કોટક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંક પર બચત ખાતા પર વાર્ષિક 4-6 ટકા વ્યાજદર છે.
PNBમાં ઓરિએન્ટલ બેંક - યૂનાઈટેડ બેંકનું મર્જર
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને મર્જ કરાઈ છે. ગયા વર્ષે 2 બેંકનો પંજાબ નેશનલ બેંકમાં વિલય થયો હતો. આ બંને બેંક બ્રાન્ચ પીએનબીની શાખાના રૂપમાં કામ કરી રહી છે.