એક તરફ જ્યાં નાગરિકતા સંશોધન બિલને લઇને પૂર્વોત્તરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે એક પછી એક રાજ્ય બિલ લાગૂ કરવાથી સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. પ.બંગાળ અને કેરળ બાદ હવે પંજાબે સ્પષ્ટ કહી દીધું છે કે રાજ્યમાં આ લાગૂ કરવામાં આવશે નહીં. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે બિલને ભારતની ધર્મનિરપેક્ષતા પર સીધો હુમલો બતાવ્યો છે.
નાગરિકતા સંશોધન બિલને લઇને પૂર્વોત્તરમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે
એક પછી એક રાજ્ય બિલ લાગૂ કરવાથી સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે
પ.બંગાળ અને કેરળ બાદ હવે પંજાબે પણ બિલ લાગૂ કરવાથી ઇનકાર કર્યો
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન સિંહની ઓફિસ તરફથી ગુરુવારે આ એલાન કરવામાં આવ્યું છે. રાજ્યે બિલને ભારતની ધર્મનિરપેક્ષતા પર સીધો હુમલો બતાવતા એમ કહ્યું કે રાજ્યમાં તેને લાગૂ કરવામાં આવશે નહીં.
નોંધનીય છે કે, આ પહેલા કેરળ અને પ.બંગાળ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ત્યાં પણ આ બિલને લાગૂ કરવામાં આવશે નહીં.
Punjab Chief Minister's Office: Terming the Citizenship Amendment Bill (CAB) as a direct assault on India’s secular character, Punjab Chief Minister Captain Amarinder Singh today said his government would not allow the legislation to be implemented in his state. (File pic) pic.twitter.com/KLR79WVKZH
કેરળના સીએમ પિનરઇ વિજયને કહ્યું કે કેરળ નાગરિકતા સંશોધન બિલનો સ્વીકાર નહીં કરે. વિજયને આ સંશોધન ગેરબંધારણીય બતાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક આધારો પર વહેંચવાની કોશિશ કરી રહી છે. ત્યારે, પ.બંગાળની તૃણમૂલ સરકારમાં મંત્રી ડેરેક ઓ બ્રાયને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે પ.બંગાળમાં એનઆરસી અને કેબ બંને લાગૂ કરવામાં આવશે નહીં. ઓ બ્રાયને કહ્યું કે સીએમ મમતા બેનર્જી પહેલા જ આ વાત કહી ચૂક્યા છે.
આસામમાં હિંસક પ્રદર્શન
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ગુરવારે સવારે ગુવાહાટીમાં લોકોએ કરફ્યૂનું ઉલ્લંઘન કર્યું. હિંસક પ્રદર્શનોને જોતા સેનાએ ફ્લેગ માર્ચ કર્યું છે અને પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર કરાયું છે. હિંસાને રોકવા માટે ઘણી જગ્યાઓ પર પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું.