ઇન્ડિયન ટી20 લીગમાં પંજાબનો કેપ્ટન રવિચંદ્રન અશ્વિન શરૂઆતથી જ કોઇને કોઇ વિવાદમાં નજરે જોવા પડી રહ્યો છે. 20 એપ્રિલે દિલ્હી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ઘરેલૂ ટીમ દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ મેચ દરમિયાન એને બીજી એક મુસીબતનો સામનો કરવો પડ્યો છે.
સૂત્રો અનુસાર પંજાબની વચ્ચે રમવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયન લીગની 37મી મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કારણે કેપ્ટન રવિચંદ્રન અશ્વિન પર દંડ ફટકારવામાં આવ્યો છે.
કારણકે એ એની ટીમની ઇન્ડિયન ટી 20 લીગની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેચ અપરાધોથી સંબંધિત સીઝનનો પહેલો ગુનો હતો, એટલા માટે માત્ર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
દિલ્હી વિરુદ્ધ આ મેચમાં પંજાબ ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. કોટલાની ધીમી પીત પર પંજાબનો બેટ્સમેન દિલ્હીનો સ્પિન બોલરોનો સામનો કરી શક્યા નહીં અને 163/7નો સ્કોર જ બનાવી શકી.
એના જવાબમાં પંજાબના બોલર લક્ષ્યનો બચાવ કરવામાં અસફળ રહ્યા અને દિલ્હીના બે બોલ બાકી રહેતા 166/5 રન બનાવીને મેચ જીતી લીધી.