કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોને લાગૂ કરવા માટે કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ આજે એક દિવસીય પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ માટે પંજાબ કેન્દ્ર આમને સામને
વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી પ્રસ્તાવ રજૂ કરશે
પીએમ મોદીને મળી શકે છે પંજાબ સીએમ
કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમોને લાગૂ કરવા માટે કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ આજે એક દિવસીય પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. આ દરમિયન કેન્દ્રશાસિત પ્રદેશની સમગ્રપણે પંજાબને આપવાની માગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માન ચંડીગઢના મામલામાં સંબંધિત પ્રસ્તાવ પણ લાવ્યા છે. જેના પર ચર્ચા થઈ હતી. તેને પૂર્વ સ્પીકર કુલતાર સિંહ સંધવાએ રાણા ગુરજીત સિંહ અને તેના દિકરા રાણા ઈંદ્ર પ્રતાપ સિંહને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવી હતી.
પ્રસ્તાવ લાવશે
વિધાનસભાની કાર્ય સૂચિમાં કહેવાયુ હતું કે, મુખ્યમંત્રી માન કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢથી સંબંધિત મામલામાં સંબંધમાં એક પ્રસ્તાવ રજૂ કરશે. માને ગત સોમવારે કહ્યું હતું કે, આ પંજાબ પુનર્ગઠન અધિનિયમ વિરુધ્ધ છે. તેમણે કહ્યું કે, પંજાબ ચંડીગઢ પર પોતાના દાવા માટે લડતું રહેશે.
કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમ લાગૂ કર્યા બાદ કેન્દ્રએ હાલમાં નિર્ણય પર પંજાબમાં આપ, કોંગ્રેસ અને શિઅદને આકરા પ્રહારો કર્યા હતા. જેમાં કેટલાય નેતાઓએ કહ્યું કે, ભાખડા વ્યાસ પ્રબંધન બોર્ડે નિયમોમાં ફેરફાર બાદ આ પંજાબના અધિકારો માટે વધું એક મોટો ઝટકો છે.
અમિત શાહે કહી હતી આ વાત
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ પગલાથી ચંડીગઢના કર્મચારીઓને મોટા પાયે લાભ થશે. કારણ કે, તેમની સેવાનિવૃતિની ઉંમર 58થી વધારીને 60 વર્ષ થઈ ગઈ છે અને મહિલા કર્મચારીઓને હાલમાં એક વર્ષની જગ્યાએ બે વર્ષની ચાઈલ્ડ કેયર લીવ મળશે. આ તમામની વચ્ચે ભુલ્લથના કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ રાજ્યના સંધીય અધિકારોને હડપવા માટે કેન્ગ્ર સરકારના અલગ અલગ પ્રયાસોને નિષ્ફળ કરવા માટે ભગવંત માનને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
પંજાબ સીએમ આ બાબતે મોદીને મળે
ખૈરાએ કહ્યું કે, માનને તુરંત પ્રધાનમંત્રી મોદી પાસે મળવાનો સમય માગવો જોઈએ. તેમણે કહ્યું કે, પંજાબ સહિત દેશના દરેક રાજ્યએ પોતાની શક્તિઓ ભારતના સંવિધાનથી લીધી છે. ખૈરાએ કહ્યું કે, અમારા સંવિધઆન નિર્માતાઓએ કેન્દ્ર અને રાજ્ય બંનેના નિહિત શક્તિઓ તરીકે પરિભાષિત અને નિર્ધારિત કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચંડીગઢમાં કેન્દ્ર સરાકર સેવા નિયમો લાગૂ કરવાનો એકતરફી નિર્ણય પંજાબના પુનર્ગઠન અધિનિયન 1966નું સમગ્રપણે ઉલ્લંઘન છે. તેમણે દાવો કર્યા છે કે, આ ફક્ત ભેદભાવપૂર્ણ નથી, પણ ચંડીગઢ પર પંજાબના કાયદેસરના હકને પણ નબળો પાડે છે.