સિદ્ધાંત વીર સુર્યવંશીના નિધન બાદ જિમના નામથી એેક વખત ફરીથી લોકોના મનમાં ડર ફેલાયો છે. પુનીત રાજકુમાર, રાજુ શ્રીવાસ્તવ સહિત અન્ય સેલિબ્રિટીઓ પણ શિકાર થયા છે.
આખા વર્ષમાં વર્કઆઉટ દરમ્યાન આ સેલિબ્રિટીઓને આવ્યો હાર્ટ એટેક
જીમમાં વર્કઆઉટ કરતા હતા ત્યારે અચાનક તેમનુ થયુ નિધન
જાણીતા ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું નિધન
જાણીતા ટીવી અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થયું છે. જાણકારી અનુસાર, શુક્રવારે સવારે સિદ્ધાંત વીર સૂર્યવંશી જીમમાં વર્કઆઉટ કરી રહ્યાં હતા અને અચાનક તેમનુ નિધન થયું હતું. જો કે, જિમમાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. સિદ્ધાંત ને ડોક્ટરોએ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. મહત્વનું છે કે, રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું નિધન છે, જ્યારે કોઈ એક્ટર જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હોય અને અચાનક તેમનુ નિધન થયું હોય.
સિદ્ધાંત વીર
અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી 'કુસુમ', 'વારિસ' અને 'સૂર્યપુત્ર કરણ' જેવી સિરિયલોમાં જોવા મળ્યા હતા. સિદ્ધાંત વીર સૂર્યવંશીનુ નિધન શુક્રવારે જિમમાં વર્કઆઉટ કરતી સમયે થયુ છે. રિપોર્ટસ છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમની ઉંમર 46 વર્ષ હતી. આ અહેવાલથી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં શોક છે. જય ભાનુશાળીએ સિદ્ધાંતને શ્રદ્ધાંજલિ આપી છે.
ગત 30 સપ્ટેમ્બરે સલમાન ખાનના બૉડીગાર્ડ સાગર પાંડેનુ મોત પણ હાર્ટ એટેકના કારણે થયુ હતુ. રિપોર્ટસ મુજબ સાગર જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો તે સમયે પડી ગયા હતા. તેમના મિત્રોએ જણાવ્યું હતુ કે સાગર સારા હતા. તેમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા ન હતી. સાગરની ઉંમર 50 વર્ષ હતી.
રાજુ શ્રીવાસ્તવ
કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને દિલ્હીમાં વર્કઆઉટ કરતી સમયે હાર્ટ એટેક આવ્યો હતો. તે લગભગ 40 દિવસ સુધી એમ્સમાં દાખલ રહ્યાં. પરંતુ તેઓ સર્વાઈવ ન કરી શક્યા. ડૉકટરોએ ઘણી કોશિશ કરી. તેઓ વચ્ચે ભાનમાં પણ આવ્યાં હતા. પરંતુ તેઓ જીવી શક્યા નહીં. રાજુની ઉંમર 50 વર્ષ હતી.
સાઉથ અભિનેતા પુનીત રાજકુમારનુ નિધન પણ જિમમાં વર્કઆઉટ બાદ થયુ હતુ. એવા સમયે લોકો વચ્ચે ચર્ચા હતી કે વધુ કસરત કરવાથી તેમનુ મોત થયુ. જો કે, કોઈ નિષ્ણાંતે તેના પર કોમેન્ટ કરી નહોતી. પુનીત 46 વર્ષના હતા.