પુલવામા હુમલામાં પાકિસ્તાનો હાથ હોવાનું સામે આવ્યા બાદ દેશભરમાં વિરોધ યથાવત છે. ત્યારે આ વિરોધની આગ અમેરિકા સુધી પહોંચી ગઇ છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતીયો રોયલ અલબર્ટ પેલેસ ખાતે એકત્ર થયા.
જ્યાં ભારતીઓએ હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો. અમેરિકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસ સામે ભારતીયોએ હાથમાં બેનર અને સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો.
એટલું જ નહીં અહીં વિરોધ પ્રદર્શનમાં ઉમટેલા ભારતીયોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો દ્વારા પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, યુએનની સૌથી મોટી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની નિંદા કરી છે અને નિંદા પ્રસ્તાવ પાસ કર્યો છે. UNSCએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે, આ હુમલા પાછળ જેનો પણ હાથ છે તેમને સજા મળવી જોઈએ. આમ UNSCએ આ હુમલાને કાયરતાનું પગલુ ગણાવ્યું.