નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવશે. માં કુષ્માંડાને દુ:ખ હરનારી માં માનવામાં આવે છે. નવરાત્રીના ચોથા દિવસે વિધિવત રીતે માં કુષ્માંડાની પૂજા કરો.
નવરાત્રીના ચોથા દિવસે કરો માં કુષ્માંડા દેવીની પૂજા
વિધિવત રીતે પૂજા કરવાથી તમામ કષ્ટમાંથી મળશે છુટકારો
જાણો કેવુ છે માં કુષ્માંડાનુ સ્વરૂપ, કેવીરીતે કરશો પૂજા
ચોથા નોરતે થાય છે માં કુષ્માંડા દેવીની પૂજા
હિન્દુ ધર્મમાં નવરાત્રીનુ વધુ મહત્વ છે. નવરાત્રી દરમ્યાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો ચોથા નોરતે માં કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવશે. માનવામાં આવે છે કે માં કુષ્માંડા દેવીએ સૃષ્ટિની રચના કરી હતી. કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે કુમ્હડા એટલેકે પેઠાની બલિ આપવી. માનવામાં આવે છે કે માં કુષ્માંડાની પૂજા કરવાથી દરેક પ્રકારના કષ્ટમાંથી છૂટકારો મળી જાય છે. આ સાથે સુખ-સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. જાણો માં કુષ્માંડાની પૂજાનુ શુભ મુહૂર્ત, સ્વરૂપ અને મંત્ર.
કેવુ છે માં કુષ્માંડાનુ સ્વરૂપ?
માં કુષ્માંડા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે. માં કુષ્માંડાની આઠ ભુજાઓ હોય છે. જેને કારણે તેમને અષ્ઠભુજાના નામથી ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માંના એક હાથમાં જપમાળા હોય છે. આ સાથે અન્ય સાત હાથમાં ધનુષ, બાણ, કમંડળ, કમળ, અમૃત પૂર્ણ કળશ, ચક્ર અને ગદા સામેલ છે.
આ રીતે કરો માં કુષ્માંડાની પૂજા
આ દિવસે સવારે વહેલા ઉઠીને બધા કામ પતાવીને સ્નાન કરી લેવુ જોઈએ. ત્યારબાદ વિધિવત રીતે માં દુર્ગા અને નવ સ્વરૂપોની સાથે કળશની પૂજા કરો. માં દુર્ગાને સિંદૂર, પુષ્પ, માળા, અક્ષત વગેરે ચઢાવો. ત્યારબાદ માલપુઆનો ભોગ ધરાવો અને પછી જળ અર્પણ કરો. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને માં દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. આ સાથે આ મંત્રના આશરે 108 વખત જાપ અવશ્ય કરો.